________________
૧૫૮
આબરૂ લીધી તે શું કર્મની મશ્કરી નથી તો શું છે ?
(૫) સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાને ચંડાળને ત્યાં વેરાવાને અવસર આવ્યો અને મહારાણું તારામતીને નીરા ઘેર પાણી ભરવાં પડ્યાં તે કર્મની ભયંકર વિટંબણું નથી તે શું છે?
(૬) મુંજ રાજાને ઘેર ઘેર ભિક્ષા માટે દુશમનના રાજ્યમાં નીચી મૂંડીએ લટકવું પડ્યું તે કર્મની ક્રૂર રમત નથી તે શું છે?
(૭) સગર રાકવતીના એક સાથે સાઠ હજાર પુત્રને સળગાવી નાખ્યા તે એક કમની સંહારલીલા નથી તો શું છે?
. (૮) પખંડનું પુણ્ય ભેગવનાર બ્રહ્નદત્ત ચક્રવતીની આંખે ઊડાવનાર કર્મ ચંડાળ સિવાય કોણ છે?
(૯) દેવલોકના ઈન્દ્ર-ઇન્દ્રાણીઓના રૂપને મહાત કરે તેવા અદ્ભુત રૂપને ધારણ કરનાર સનત્કુમાર ચકવતીના શરીરમાં એકાએક ભયંકર સોળ રોગ ઉત્પન્ન થઈ ગયા અને અનુપમ રૂપની લીલા એક ક્ષણમાં ધૂળમાં રગદોળાઈ ગઈ તે કર્મ પિશારાની સાર્વભૌમતા નથી તો શું છે?
(૧૦) અબજોનું ધન પિતાની પાસે હોવા છતાં રોજ તેલને ગેળા ખાનાર અને ભારે વરસાદની ઝડીઓમાં, માસામાં નદીના પુરમાં તણાતાં લાકડાં લેવા પોતડી પહેરીને ઝંપલાવનાર કંજુસ મમ્મણ શેઠની ઘેર વિટંબણ કરનાર અને સાતમી નરકમાં લઈ જનાર દુષ્ટ કર્મ સિવાય કોણ છે?
(૧૧) મૃગાપુત્ર લેઢીએ રાજમંદિરમાં રાજરાણીના પેટે જન્મ લેવા છતાં જન્મથી ઘોર દુર્ગધી શરીર, નડુિં નાક-કાન, નહિં મુખ, નહિં હાથ-પગ, નહિં પેટ આવા કટુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org