________________
૧પ૭
(૧૬) હે જીવ ! ધર્મરૂપી સૌરાજ્ય પ્રાપ્ત થવા છતાં વિષયેની શિક્ષા એક ભિખારીની માફક સંસારની ગલીએ ગલીએ કેમ માગી રહ્યો છે? તને શરમ કેમ નથી આવતી? - આવી રીતે ભિન્ન ભિન્ન દષ્ટિકોણથી રાગાદિ દે, હિંસાદિ પાપ અને આશ્રવાદિ કિયાઓથી સ્વ–પરને થતા નુકશાનોનો સ્થિર એકાગ્ર ચિત્તે વિચાર કરવો તે ધર્મધ્યાન બીજે પાયે છે.
વિપાક વિચય:- (૧) અરિહંતોની ભવ્ય, સર્વશ્રેષ્ઠ સંપદાઓ અને નારકીની ભયંકર વિપદાઓ જોતાં લાગે છે કે શુભાશુભ કર્મનું એક છત્રી સામ્રાજ્ય આ વિશ્વ ઉપર પ્રવર્તી રહેલ છે.
(૨) એકજ રાજગૃહીમાં રહેતા શાલીભદ્ર રોજ નવા નવા દેવતાઈ વૈભો અને વિલાસે ભોગવતા હતા. અને એજ નગરીમાં રહેતો દ્રમક (ભીખારી) ભિક્ષા માટે આખી નગરીમાં આખો દિવસ શ્રીમંતોને દ્વારે ભટકવા છતાં પેટભર રોટલાનો ટુકડો પણ પ્રાપ્ત કરી શકતો નહોતો. તે કર્મની લીલા નહીં તો શું છે?
(૩) એક વખત અયોધ્યાના રાજમહેલમાં વિવિધ વૈભમાં મહાલતી રાજરાણી સીતાને ગëિણી અવસ્થામાં અલી નિરાધાર હિંસક પશુઓથી ભરેલા મહા વિકટ જંગલમાં મૂકાઈ જવું પડયું તે કર્મની ક્રુર મશ્કરી નથી તે શું છે ?
(૪) મહાપરાક્રમી, મહાયોદ્ધાઓ, મહાસામ્રાજ્યના ઘણું એવા પાંચ પાંડેની એક પત્ની સતી દ્રૌપદી રાણીનાં દુષ્ટ દુર્યોધને ભરસભામાં પાંચ પાંડવોને દેખતાં ચીર ખેંચ્યા
અને વિકાસ ભલીભદ્ર રોજ
નગરીમાં રહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org