________________
૧પદ
(૧૧) સ્વભાવે શુદ્ધ, નિરંજન, નિરાકાર સ્ફટિક જેવા નિર્મળ આત્માને કાળે મેશ કરનારા કાજળ જેવા આ રાગરિ દે છે.
(૧૨) પ્રશમ સુખથી જીવને વંચિત રાખનારા આ રાગાદિ દોષ જ છે તેને જ્યાંસુધી તું હટાવીશ નહિ, નિર્મૂળ કરીશ નહિ ત્યાંસુધી સાચું સુખ અકષાય ચારિત્ર-વીતરાગ દશા પ્રાપ્ત કરી શકીશ નહિ.
. (૧૩) સાથે સાથે રાગાદિ દોષને પોષનારો, જગાડનારા નિમિત્તોથી પણ દૂર રહેજે. કેમકે રાગદ્વેષરૂપી અગ્નિ વિષયો રૂપી ઈન્વનને પ્રાપ્ત કરીને જ સળગતો રહે છે. તેથી તે અગ્નિને હવે શાંત કરવા હોય તો રાગ રૂપી અગ્નિમાં વિવિધ વિષય રૂપી લાકડાં નાખવાનું બંધ કરવું જોઈએ જેથી લાકડાં વગર તે રાગદ્વેષરૂપી અગ્નિ બુઝાઈ જાય.
(૧૪) સંસાર ત્યાગ કરવાનું આ પણ એક મુખ્ય કારણું છે કે સંસારમાં મનુષ્યને સ્થાન–સ્થાન પર ક્ષણે ક્ષણે રાગશ્રેષનાં નિમિત્તો મળે છે અને તેથી નિમિત્ત પામી જીવ ડગલે પગલે રાગોષની આગમાં જઈ પડે છે.
- સાધુ અવસ્થા–સાધુ જીવનજ એક એવું સુંદર–અલિપ્ત જીવન છે કે સહજ મેટા–મેટા કંચન કામિની પુત્ર-પરિવાર–ર–દુકાન, દાગીના, સત્તા જેવા રાગ-દ્વેષ વર્ધક નિમિતોથી બચી જવાય છે. તેથી સહેલાઈથી ક્ષમાદિ ધર્મોનું આરાધન કરી શકાય છે.
(૧૫) હે જીવ! તારે આધીન મેક્ષમાર્ગ હોવા છતાં તે કુમાર્ગ પર ચાલીને જ તે તારા હાથે જ તારા પગ પર કુહાડી મારી તું વેદનાની બૂમે કેમ પાડી રહ્યો છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org