________________
૧૫૫
પણ સંતાપ કરાવનાર બને છે. જેમ કોટરસ્થ અગ્નિ જલ્દીથી વૃક્ષને બાળી મૂકે છે તેમ.
(૫) પરાકમાં દીર્ઘ – નરકાદિ ફળ – દીર્ઘ સંસાર એ રાદિ દોષનું ફળ છે.
. (૬) મિથ્યાત્વથી મોહિત મતિવાળા પાપી જીવો આ લોકમાંજ નરકની ઉપમાવાળા દુઃખને પ્રાપ્ત કરે છે. તેથી આ જગતમાં ક્રોધાદિ સર્વ પાપ કરતાં પણ (મિથ્યાત્વ) અજ્ઞાન જેવું ખેઢકર, (ભયંકર) પાપ કઈ નથી. કેમકે જે અજ્ઞાનના પાપથી જેની મતિ આચ્છાદિત થઈ ગઈ છે એવા લોક પિતાના હિતાહિતને પણ જાણી શકતા નથી.
(૭) પ્રાણુ વધાદિથી અવિરત, હિંસાદિ પાપની પ્રતિજ્ઞા વગરના પાપી જી પોતાના દીકરા-દીકરીઓના ઘાતરૂપ અતિ નિંદનીય પાપોને પણ કરતા સંકેચાતા નથી.
(૮) કાયિયાદિ પચ્ચીસ ક્રિયાઓમાં પ્રવર્તતા જીવો આલોક પરલેકમાં કઈ પાપને ઉપાર્જન કરી સંસારની વૃદ્ધિ કરે છે.
(૯) આ રાગાદિ દોષે –હિંસાદિ પાપો ક્ષમાદિરૂપ અને અહિંસારૂપ જે ધર્મસ્થાને તેના વિરોધી છે, શત્રુ છે તેથી હે જીવ! તે ધર્મઘાતક શત્રુઓથી તું સદા ચેતતો રહેજે.
- (૧૦) જે આલેકમાં રાગ-દ્વેષ ન હોત તો કઈ દુઃખ પીડા પણ ન હોત. રાગ-દ્વેષજ કર્મબંધનું કારણ છે. અને કર્મબંધનથી જ નરકાદિ દુર્ગતિઓમાં જન્મ મરણાદિ દુખે જીવને ભેગવવા પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org