________________
૧૪૯ પાલન વગેરે કેવી રીતે કરી શકવાને છે? આજ્ઞા (વચન) દ્વારા જ ધર્મતત્વને યથાસ્થિત ખ્યાલ આવી શકે છે. તેથી જિનરાજની આજ્ઞાના સ્વરૂપને યથાર્થ ખ્યાલ હોવો જરૂરી છે. તેથી અહિં ધર્મધ્યાનમાં પ્રથમ આજ્ઞાનો વિચાર કરવાનું શાસ્ત્રકારોએ કહ્યું છે. જીનરાજનું વચન યથાર્થ છે, સત્ય છે, અવિસંવાદી છે, પૂર્વાપર વિરોધ વગરનું છે, એકાંતિક અને આત્યંતિક કલ્યાણનો હેતુ છે, આ દઢ વિશ્વાસ જ્યાં સુધી ભગવાનના વાન પર ન થાય ત્યાંસુધી સાધકની ધર્મમાં અખલિત ગતિ કેવી રીતે થવાની હતી ? અને બીજું જીનરાજની આજ્ઞાને વિચાર કરે તે પણ ધર્મ જ છે ને?
શંકા- ધર્મધ્યાનના વિષયમાં અપાયની વિચારણા કરવાનું કારણ શું?
સમાધાન– રાગાદિ દોષે, હિંસાદિ પાપ વગેરેના નુકશાનની વિચારણા કરવાથી એક તો તે તે દેન અને પાપને પક્ષપાત દૂર થાય છે અને તેના ભયંકર નુકશાન જાણી સાધક તે દેથી અને પાપથી દૂર રહે છે. અને તેથી બાધક દોષ ધર્મસાધનામાં જે વિગ્ન કરતાં હતાં તે કરી શકતાં નથી. તેથી ધર્મના બાધક કારણોને પણ વિચાર રાખવો જરૂરી છે કેમકે ગફલતથી પણ તે દોષો સાધનામાં ભંગ ન પડાવે.
રાગાદિ દોષની ભયંકરતા સાધક યંસુધી બરાબર ન સમજે ત્યાંસુધી ધર્મ કરવાનું જોઈએ તેટલું જોમ આવતું નથી. તેથી પિતાના આત્મામાં કેટલા દે છે? કેટલા પ્રમાણમાં છે? અને પિતાને અને બીજા જીવોને તેનાથી થઈ રહેલાં નુકશાન વિગેરેનો વિચાર કરે પણ જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org