________________
૧૪પ બતાવવું તેને ભારે પડી જાય. તેની ગુણ-મર્મ વાતે જાહેર કરૂં કે જેથી તેને મરવા જેવું દુઃખ થાય કે આપઘાત કરે પડે. કેર્ટમાં જુઠી ભયંકર હડહડતી સાક્ષી ભરૂ, ચાડી ચુગલી કરૂં, માર્મિક વચન, નિષ્ફર વચનો, અસત્ય વરને બોલી સામાને ઉતારી પાડું, કષ્ટમાં નાખું, મારી નાખું. પ્રાણુઓને છેદી નાખો, કાપી નાખો, ભેદી નાખે, બાળી નાખે શું જોઈ રહ્યા છે? ઉપાડીને ફેંકે. આવું હિંસાનું વાન તે પણ મૃષાનુબંધીમાં આવે.
શાસ્ત્ર વિરૂદ્ધ વચન, સામાને એકદમ હલકા પાડવાનું વચન. આવા આવા ભેડા પ્રાણઘાતક, માર્મિક, ગુપ્ત, શાસ્ત્ર વિરૂદ્ધ વરાન લેવાનું જે પ્રણિધાન તેને મૃષાનુબંધી રૌદ્રધ્યાન કહે છે. ભલે પછી તેવાં વરાનો બેલે કે ન બોલે, પણ એવા પાપમય–હિંસામય–જુઠભર્યા વાનો બેલવાને દઢ અધ્યવસાય વિકાર) કર્યો તે જ મૃષાનુબંધી રૌદ્રધ્યાન
ભવિષ્યમાં હું આવાં આવાં વરાનો બેલીશ. ભૂતકાળમાં જે હું આવા આવા વરાને બેલ્યો હોત તો ઠીક થાત ! ભવિષ્યકાળ સંબંધી અને અતીતકાળ સંબંધી પણ મૃષાનુબંધી રૌદ્રધ્યાન સમજવું. આવું આવું પાપમય, હિંસામય વાન બોલવું રહી ગયું, યાદ ન આવ્યું તેને પશ્ચાતાપ, બળાપે કરે તે પણ આમાં આવે.
બહુશ્રુત ન હોય છતાં કહે કે હું બહુશ્રુત પંડિત છું, બ્રહ્મચારી ન હોય છતાં કહે કે હું બ્રહ્મચારી છું, તપસ્વી ન હેય છતાં કહે કે હું તપસ્વી છું, ત્યાગી ન હોય છતાં કહે કે હું ત્યાગી છું. આવું વચન પણ મહામહનીય બંધાવનારૂં અને ક્રૂર ચિત્તના પરિણામ રૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org