________________
૧૩૮
આધ્યાન એટલે શું?
આ = દુઃખથી પીડિત– શારીરિક અને માનસિક દુઃખથી પીડિત પ્રાણનું જે ધ્યાન તેને આર્તધ્યાન કહે છે.
આર્તધ્યાન નીચે મુજબ ચાર પ્રકારનું છે(૧) ઈષ્ટ પદાર્થોના સંગનું ધ્યાન.' (૨) અનિષ્ટ પદાર્થોને વિયેગનું ધ્યાન. (૩) રોગ નાશનું ધ્યાન અથવા રોગ સંબંધી ધ્યાન.
(૪) ધર્મસાધના દ્વારા આલોક કે પરલોકમાં મળતા ભેગ–સંપત્તિનું સકામ ધ્યાન (નિયાણાનું ધ્યાન).
ઈષ્ટના સંગનું ધ્યાનઃ
(૧) મને આવા સુંદર મનહર ભેગ સુખે કયારે મળશે?
() મને આવી આવી ઉર સંપત્તિ, સત્તા, સુંદર રૂપ કયારે મળશે?
(૩) મને આવા યશ, કીર્તિ, આદર-સત્કાર કયારે મળશે?
(૪) વર્તમાનમાં જે સુંદર ભેગ સુખ પ્રાપ્ત થયેલ છે તે ન જાય તે બહુ સારું !
(૫) મને વર્તમાનમાં જે ધન-સંપત્તિ મલી છે તે કાયમ ટકી રહે તે બહુ સારું !
(૬) આવું સુંદર લાવણ્ય યુક્ત રૂપ ટકી રહે તે બહુ સરસ થાય! ,
(૭) આવી સુંદર રૂપવાળી પત્નીનો વિયોગ ન થાય તે સારું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org