________________
૧૩૫
સાપેક્ષ સ્વીકાર તેજ સમ્યકત્વ છે. કારણની શુદ્ધિથી કાર્યની શુદ્ધિ થાય વિશિષ્ટ કારણથી વિશિષ્ટ કાર્ય થાય અને સામાન્ય કારણથી સામાન્ય કાર્ય ઉત્પન્ન થાય. અકારણથી કાર્ય ઉત્પન નજ થાય. કારણથી જ કાર્ય નીપજે. કારણાભાસથી– ભળતાં કારણથી પણ કાર્ય નજ થાય. યોગ્ય કારણ સમુહથી જ કાર્ય થાય.
જે કાર્ય ઉત્પન્ન કરવા જેટલા કારણેની આવશ્યકતા હાય તેમાંથી એકાદ પણ ખૂટે તે કાર્ય ન થાય. દા.ત. વિદ્યા પ્રાપ્તિ કરવી છે તો સ્કુલ, માસ્તર, પુસ્તક, આરોગ્ય, ભજન, ઉત્સાહ, બુદ્ધિ, વિનય, ઉદ્યમ, વિદ્યાનો રસ વગેરે જરૂરી છે. તેમાંથી એક પણ ખૂટતું હોય તો વિદ્યા પ્રાપ્ત થઈ શકતી નથી.
તેથી કાર્ય બંને કારણેના સહકારથી જ થાય છે. પત્થર સો વર્ષ એમજ પડ્યો રહે તો પણ એની મેળે તેમાંથી મૂર્તિ ઉત્પન્ન ન થાય, પણ જ્યારે તેને યોગ્ય શિલ્પી મળે તેજ તેમાંથી મૂર્તિ બને. તેમજ શિલ્પી હોય પણ પત્થર ન હાય, હાય તો મુતિને યેગ્ય ન હોય તો પણ મૂર્તિ રૂપી કાર્ય ન બને. શાસ્ત્રમાં કહ્યું છે કે –
નાર મવેરા ના ારા જળ ” ઘરાણા
न व्यवस्था स्यात् कार्य कारणयाः कवचित् ।। ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org