________________
૧૩૪
કમાં મોક્ષ થતો નથી. કારણકે દુર્ભવ્ય જીવોનું ઉપાદાન કારણ હમણાં એગ્ય નથી. તેથી ઉપાદાન કારણ યોગ્ય બને તેજ ઉત્પાદન સામગ્રી મળતાં તેમાંથી કાર્ય ઉત્પન્ન થાય.
ઘાસ એ દહીંનું અગ્ય ઉપાદાન કારણ કહેવાય, જ્યારે દૂધ એ દહીંનું એગ્ય ઉપાદાન કારણ કહેવાય. જે કે ગાય કે ભેંસ ઘાસ ખાય તોજ તેમાંથી દૂધ બને છે. છતાં ઘાસમાંથી સીધું દહીં બની શકતું નથી. તેથી દહીંનું સાક્ષાત કારણ દૂધ તેજ તેનું ઉપાદાન કારણ કહેવાય. પરંપરા કારણે જે ઘાસ તે દહીંનું પરંપરા અયોગ્ય કારણ કહેવાય.
તળાવમાંથી માટી સીધી લાવી તેમાંથી કાંઈ ઘડે બની શકતો નથી. કારણ કે તે સંસ્કાર કર્યા વગરની માટી તે ઘટ માટે અગ્ય ઉપાદાન કારણ છે. પણ તેજ માટી ખૂંદીને મુલાયમ બનાવે તો ઘટ માટેનું યોગ્ય ઉપાદાન કારણ બન્યું.
જીવ પણ માર્ગાનુસારીના ૩૫ ગુણેથી મુલાયમ બને તેજ તેના ઉપર રત્નસ્ત્રીના સુંદર ઘાટ ઘડી શકાય. માર્ગાનુસારી આત્મા એ મોક્ષનું ઉપાદાન કારણ છે. રત્નત્રયીની સાધના એ જીવને મોક્ષ રૂપ બનાવવાની પ્રક્રિયા છે. અને સુદેવ-ગુરૂ-શાસ્ત્ર વગેરે અસાધારણ સહકારી કારણો છે.
માર્ગાનુસારી આત્મા એ મોક્ષ માટેનું એગ્ય ઉપાદાન કારણ, રત્નત્રયીને પુરૂષાર્થ એ કુંભારના સ્થાને છે. અને દંડ-ચક-ચીવર વગેરેના સ્થાને સુદેવ-ગુરૂ-શાસ્ત્ર વગેરે છે.
સારાંશ એ છે કે એકલા ઉપાદાન કારણને જ માનવું કે એકલા નિમિત્ત કારણને જ માનવું એ મિથ્યાત્વ છે. બંનેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org