________________
૧૩૨
પ્રશ્ન:- “ઉપાદાન કારણની મુખ્યતા કે નિમિત્ત
કારણની ?” .
ઉત્તર - જ્યાં કાર્ય બંનેના સહયોગથીજ ઉત્પન્ન થાય છે ત્યાં મુખ્યતા-ગૌણુતાનો પ્રશ્ન જ કયાં રહે છે? ઉપાદાન કારણને નિમિત્ત કારણને સાક્ષેપ રહેવું પડે છે. અને નિમિત્ત કારણને ઉપાદાન કારણને સાક્ષેપ રહેવું પડે છે. તેથી પરસ્પર એક બીજાને પરતંત્ર છે. જેમ સૈન્ય સેનાપતિને સાપેક્ષ રહે અને સેનાપતિ સૈન્યને સાપેક્ષ રહે તેજ યુદ્ધ જીતી શકે. એવું ઉપાદાન કારણમાં અને નિમિત્ત કારણમાં પણ છે.
કારણ કાર્યને સર્વથા અનુરુપ પણ ન હોય અને સર્વથા અનનુરૂપ પણ ન હોય. પણ કથંચિત્ અનુરૂપ હોવું જોઈએ. માટી એ ઘટને કથંચિત્ અનુરૂપ છે, જ્યારે તંતુ એ સર્વથા અનનુરૂપ છે. માટે કથંચિત્ અનુરૂપ કારણમાંથી કાર્ય ઉત્પન્ન થાય. સર્વથા કારણ અને કાર્ય અનુરૂપ હોય તો પછી આ કારણ અને આ કાર્ય એ ભેદ ન રહે. બીજુ પછી કાર્યને ઉત્પન્ન કરવાનું પણ કયાં રહ્યું ?
કારણમાં કાર્ય નથી માટે તે કાર્ય ઉત્પન્ન કરવા કારણ સામગ્રીની જરૂર પડે છે. કાર્ય ઉત્પન્ન થયા પછી ઉપાદાન કારણનું અસ્તિત્વ મટી જાય છે. ખૂદ કારણ જ કાર્ય રૂપે પરિણમી ગયું પછી ઉપાદાન કારણનું પૃથક્ અસ્તિત્વ રહેતું નથી. એટલે કારણમાં કાર્યની ચોગ્યતા હોવી જોઈએ. અને સાથે સાથે તે યોગ્યતાને ફલવતી બનાવવા માટે સાધનસામગ્રી પણ જોઈએ.
નિમિત્તે કારણે સેંકડે હાજર હોય અને ઉપાદાનજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org