________________
૧૩૦
ન જૈન દર્શનમાં કારણનું સ્વરૂપ છે
:
-
તે
Ft. : S T IT, TET, TAT, HTAT, HT THEL,
કારણના મુખ્ય બે ભેદ છે. (૧) ઉપાદાન કારણમૂળ કારણ–પરિણામી કારણ (૨) નિમિત્ત કારણુસહકારી કારણ.
જગતમાં કઈ પણ કાર્ય કારણ વગર ઉત્પન્ન ન થાય. જે કાર્ય ઉત્પન્ન થાય તે કારણ પૂર્વક જ. કારણ પૂર્વમાં હોય અને કાર્ય ઉત્તરમાં. પહેલાં કારણે હાજર હોય તો જ ઉત્તરમાં (પશ્ચાત્) કાર્ય ઉત્પન્ન થાય. જેનું જે કારણ હોય તે તેને જ ઉત્પન્ન કરી શકે. માટીનો પીંડ ઘટનું કારણ છે કે તે ઘટને જ ઉત્પન્ન કરી શકે, વસ્ત્રને નહિ. અને વસ્ત્રનું કારણ તંતુ, વસ્ત્રને જ ઉત્પન્ન કરી શકે, પણ ઘટને નહિં. તેથી જે જેનું કારણ હોય તેનાથી તે જ કાર્ય ઉત્પન્ન થાય; અન્ય કાર્ય નહિં. તેમ કરણાભાસથી પણ કાર્ય ઉત્પન્ન થાય નહિ. જેમ રસ્તા પરની રેતીમાંથી ઘટ.
પ્રશ્ન:- “ઉપાદાન કારણ એટલે શું ?” ૧. જે કારણમાં કાર્યની શક્તિ હોય તે
ઉપાદાન કારણું, ૨. જે કારણ સ્વયં કાર્ય રૂપે પરિણમે તે
ઉપાદાન કારણ. ૩. જે કારણ અન્વયી હોય તે ઉપાદાન કારણું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org