________________
૧૨૮
વિશ્વવર્તી પદાર્થોને અભાવ રહેલું છે. આ ઘટ પટથી ભિન્ન છે, વસ્ત્રથી ભિન્ન છે, ઘરથી ભિન્ન છે, એમ વિશ્વવતી અનંત પદાર્થોથી ભિન્ન છે, એવું જ્યારે જ્ઞાન થાય ત્યારે એક વિવક્ષિત ઘટ વસ્તુનું પૂર્ણ જ્ઞાન થાય.
જે gf ગાળ તે સર્વ જ્ઞાન” આ સૂત્રનું પણ તાત્પર્ય એજ છે. જો કે છદ્મસ્થથી વસ્તુના સમસ્ત-સ્વ–પર પર્યાયનું જ્ઞાન શકય નથી. છતાં સર્વજ્ઞ વચનની શ્રદ્ધાથી તે સર્વ વસ્તુને અનંત સ્વ પર પર્યાયથી યુક્ત જ માને છે.
અથપર્યાય (વસ્તુપર્યાય)– જેમ ઘટમાં રહેલા મૃત્મયત્વ, પૃથુબુદ્ધત્વ-વૃત્તત્વ વગેરે ધર્મોને અર્થપર્યાય કહે છે.
વ્યંજનપથ (વચનપર્યાય)- કુંભ, કલશ, કુટ વગેરે ઘટવાચક શબ્દો છે તેને વ્યંજનપર્યાય કહે છે.
આ ત્રણે અર્થપર્યાય, વરાન પર્યાય અને પરપર્યાય એ ત્રણે અનંત-અનંત છે. વચન પર્યાય ત્રિકાળની અપેક્ષાએ અનંત છે. આજે ઘટ વસ્તુ અમુકજ ઘટવાચક શબ્દોથી વાચ્ય બને છે. પણ તે ઘટ શબ્દ ત્રિકાળની અપેક્ષાએ અનંત વસ્તુઓને વાચક પણ છે.
આ દ્રવ્ય-ગુણ પર્યાયનું જ્ઞાન આત્માને પિતાનું મૂળ અસલી સ્વરૂપ જાણવામાં બહુ ઉપયોગી છે. મારો આત્મા શુદ્ધ જ્ઞાનાદિ ગુણપર્યાયનું ભાજન છે. વર્તમાનમાં જે મારા ગુણપર્યાયે છે તે અશુદ્ધ છે. અરે ! કેટલાક તે વાસ્તવિક મારા છેજ નહિ કર્મજન્ય છે. તેથી કર્મના ઉદયથી અને ક્ષપશમથી ઉત્પન્ન થયેલા ગુણ પર્યાયે વાસ્તવમાં આત્માના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org