________________
૧૨૭
આ ઘટજ છે' પટ નથી આવા સ્પષ્ટ મેધ થાય છે તેથી નિયત વસ્તુનું જ્ઞાન પરવસ્તુમાં રહેલા પર્યંચાના જ્ઞાનપૂર્વકજ થાય છે. ‘આ માણસજ છે, પશુ નથી' એ ત્યારેજ કહેવાય છે કે વમાનમાં દેખાતા મનુષ્યમાં પશુના પર્યાયે નથીજ, ત્યારેજ આ મનુષ્ય છે એવેા નિર્ણય થાય છે.
એટલે એક વિવક્ષિત વસ્તુના જ્ઞાન માટે તે વસ્તુથી ભિન્ન જે અનંત વસ્તુઓ અને તેના ગુણધર્મોનું જ્ઞાન પ્રથમ આવશ્યક હાય છે. એક ઘટ વસ્તુમાં ઘટ અતિરિક્ત અને ત વસ્તુઓના અભાવ રહેલા છે. અને અનંત વસ્તુએથી ઘટ જુદા છે તે પરપચાથી જણાય છે. તેથી પરપર્યાય એ પણ વસ્તુની એક અવસ્થા છે. માત્ર ક્ક એટલેા કે એક અવસ્થા વસ્તુની સાથે વમાનમાં સંબંધિત છે. જ્યારે બીજી અવસ્થા વસ્તુની સાથે વમાનમાં સંબંધિત નથી. પણ તેને અભાવ વતી રહેલા છે.
‘અહિં ઘટ નથી’ અર્થાત્ આ જગ્યા સાથે હમણાં ઘટને સંબધ નથી. પણ ઘટના અભાવ છે. ભાવને આધીન અભાવ છે અને અભાવને આધીન ભાવ છે. અહિં ઘટ છે તે ઘટથી અતિરિક્ત પદાર્થોના અભાવને આધીનજ ખેલાય છે. અહિં ઘટ નથી તે ઘટના પ્રતિપક્ષીના અસ્તિત્વને આધીન છે. એટલે ઘટનુ જ્ઞાન ઘટ અતિરિક્ત ઘટના પ્રતિપક્ષી જેટલાં વિશ્વવત પદાર્થો છે તેને આધીન છે.
વસ્તુના ભાવ અને અભાવનુ જ્ઞાન તેના પ્રતિપક્ષીને આશ્રીનેજ થાય છે. અભાવનુ જ્ઞાન ભાવને આશ્રી અને ભાવતુ જ્ઞાન અભાવને આશ્રી છે. તેથી વિવક્ષિત એક ઘટાદિ વસ્તુમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org