________________
૧૨૪
કદાપી અન્ય અજીવ રૂપ ન બને. એટલે દ્રવ્ય ત્રિકાળમાં એક સ્વરૂપ રહે છે.
કટક-કુંડલાદિ અવસ્થાઓમાં કાંચન તો અન્વયી જ છે. દ્રવ્ય પર્યાના પરિવર્તનમાંય સદા સ્થિર રહે છે એજ તેનું નિત્યત્વ છે. એક માટીરૂપ દ્રવ્યમાંથી અનેક ઘટાદિ પર્યાયે ઉત્પન્ન થાય અને નાશ પામે પણ તે બધામાં માટીનું
સ્વરૂપ તો કાયમ જ રહે છે. આ દ્રવ્ય બહુરૂપી જેવું છે. ક્ષણે ક્ષણે નવા નવા પર્યાય રૂપી વસ્ત્ર ધારણ કરે છે. પોતાનું મૂળ સ્વરૂપ કાયમ રાખી નવા નવા પર્યાય રૂપી વસ્ત્ર ક્ષણે ક્ષણે ધારણ કર્યા કરે છે. તેથી નવા નવા પર્યાયને પ્રાપ્ત કરે અને મૂકે તે “દ્રવ્ય”. આવી પણ દ્રવ્યની વ્યાખ્યા વિશેષાવશ્યક વગેરે ગ્રંથમાં કરેલી છે.
પ્રશ્ન:- આ દ્રવ્ય–ગુણ–પર્યાયમાં પરસ્પર ભેદ છે?
ઉત્તર - હા, નામથી, સંખ્યાથી અને લક્ષણથી એ, ત્રણેમાં પરસ્પર ભેદ છે.
નામભેદ- દ્રવ્ય નામ”, “ગુણે નામ”, “પર્યાય નામ એ ત્રણેના નામ ભિન્ન ભિન્ન છે.
સંખ્યાબેદ- દ્રવ્ય ૬ છે, ગુણે અને પર્યાયે અનેક છે.
લક્ષણભેદ– અનેક પર્યાય ગમન, જુદા જુદા પર્યાયમાં ગમન કરે તે વ્ય.
ગુણનું લક્ષણ– જેના યોગે દ્રવ્ય અન્ય દ્રવ્યથી પૃથ કરાય તે ગુણ. એક દ્રવ્યને બીજા દ્રવ્યથી અલગ કરવું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org