SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ વગેરે બાહ્ય વ્યવહાર આદરનારા હોય છે. કદાચ અન્ય સન્યાસીના વેષમાં કે ગૃહસ્થના વેષમાં કેવળ જ્ઞાન થયુ' હાય તેા પણ સાધુવેશના સ્વીકાર કર્યાં વગર વંદનીય અનતા નથી. જ્યારે દેવતા વગેરે આવી સાધુવેશ આપે અને પહેરે ત્યારે જ દેવા વિગેરે નમસ્કાર કરે છે. એટલે પૂર્ણજ્ઞાની પણ માહ્ય વ્યવહારને પ્રધાનતા આપી તેને અનુસરે છે. અને સમ્યક્ આચાર પાલન એ જ જ્ઞાનીનું લક્ષણ છે. જીવાને પીડાકારી કે અનુચિત વ્યવહાર પૂર્ણજ્ઞાનીને કદાપી હેાય જ નહુિં. તેથી વીતરાગ ચારિત્રને ધરનારા હાય છે. સ્વ-સ્વરૂપમાંજ, પૂર્ણ આત્માનંદમાં નિરંતર મગ્ન હાય છે. પ્રતિસમય લેક-અલેાકના ભાવાને જાણનારા દેખનારા હોય છે. જ્ઞાન પ્રધાન જીવન જીવનારા હૈાય છે. તેમને માહ્ય આવશ્યક પ્રતિક્રમણાદિ ક્રિયા કરવાની હાતી નથી. તેમને પચ્ચક્ખાણ કરવાનું' ન હેાય પણ ભાજન તે એકવારજ દિવસમાં કરે. આ સ્થિતિને જૈનદર્શનમાં પુરુષ, સ્ત્રી કે કૃત્રિમ નપુંસક પણ પામી શકે છે. બાહ્ય સ્ત્રીલિંગ કે નપુસકલિંગ ભાવની પરાકાષ્ઠામાં કાંઈ વિઘ્નકારી નથી. વિઘ્નકારી તે વેઢના ઉય હાય છે. વેદના ઉદય તેા પુરુષને અને સ્ત્રીને પણ સમાન વિઘ્નકારી છે. પુરુષ પણ પુરુષવેદના ક્ષય કર્યાં વગર વીતરાગી-નિર્મોહી અની શકતા નથી. તેમ સ્ત્રી પણ સ્ત્રી- વેદના ક્ષયે કેમ વીતરાગી કે નિર્મોહી બની ન શકે? શું પુરુષને માટે જ મુક્તિ રીઝવડ છે ? અને સ્ત્રી માટે નથી ? ચેાગની સાધના અને સિદ્ધિની અધિકારી પુરુષની જેમ સ્ત્રી પણ છે. તેથી જૈનદર્શનમાં ચારિત્ર, કેવળજ્ઞાન અને મુક્તિના અધિકાર ‘સ્ત્રીઓને’ પણ પુરુષની સમાનજ આપવામાં આવ્યે છે. Jain Education International རྩྭ་ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy