________________
૧૧૪
મેહના પગ મજબુત કરવાના અવળા પુરુષાર્થ તો જીવે અજ્ઞાનવશ અનંતકાળ સુધી ર્યા. હવે આ ઉચા માનવ જીવન તો આપણે જ પાળી–પંપાળીને પિષીને પુષ્ટ કરેલા મેહ દુશ્મનની શક્તિને ક્ષીણ કરવા પાછળજ ઉપગ કરવા જેવું છે. બાકીના ભવમાં તે મેહની શક્તિને ક્ષીણ કરી નાશ કરવાના સંયે નથી. અહિંજ તેને પરાજીત કરવાની પૂર્ણ શસ્ત્ર-સામગ્રી મળે છે.
(૧૨) ક્ષીણમેહ ગુણઠાણું -
મેહરાજાને પૂર્ણ પરાજીત કરી વિજ્યમાળા પ્રાપ્ત કરી મહાત્મા ક્ષણ ભર યુધ્ધને ભારે શ્રમ દૂર કરવા અંતમુહૂર્ત સુધી અહિં વિશ્રામ કરે છે. અહિં આવેલા આત્માને હવે કદાપી નીચે પડવાનું રહેતું નથી. અહિં આવેલો આત્મા અવશ્ય બાકીના ત્રણે જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, અંતરાય કર્મોનો ક્ષય કરવા આગળ વધતા હોય છે. બીજા શુકલ ધ્યાનની તીવ્ર ધારા ચાલુજ હોય છે અને તે બીજા શુકલ ધ્યાનની ધારા વડે બારમાના અંતે બાકીના ત્રણે જ્ઞાનાવરણું આદિ કર્મોને ખપાવી કેવલજ્ઞાન-કેવલદર્શનને પ્રાપ્ત કરે છે.
- નિશ્ચયનયની દ્રષ્ટિએ જે ક્ષણે ઘાતી કર્મોના ક્ષયની ક્ષણ તેજ કેવલજ્ઞાનાદિ પ્રાતિની ક્ષણ તેથી જે સમયે જ્ઞાનાવરણાદિને ક્ષય થયે તેજ ક્ષણે કેવલજ્ઞાનાદિની ઉત્પત્તિ માને છે. ક્રિયાકાળ અને નિષ્ઠાકાળને એક જ સમયમાં માને છે. જ્યારે વ્યવહાર નય બારમાના અંત સમયે જ્ઞાનાવરણીય ક્ષય અને તદન્તર તેરમાં ગુણઠાણના આદ્ય સમયે કેવળજ્ઞાન માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org