________________
૧૧૩
કહે છે. અહિંથી ક્ષપક સીધેા કૂકા મારી અગિયારમે ન જતાં સીધે। બારમા ગુણઠાણે પહેાંચી જાય છે. જ્યારે ઉપશામક અહિંથી સીધા અગિયારમા ગુડાણે જનારા હાય છે.
(૧૧) ઉપશાન્તમાહ ગુણુšાણુ :—
ઉપશમશ્રેણી દ્વારા સવ થા મેાહનીયના ઉદ્દયને અટકાવી દેવાથી આ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. અહિં એક અન્તર્મુહૂત્ત સુધી મેાહનીયની કોઈપણ પ્રકૃતિના પ્રદેશેાય કે રસાય બિલકુલ ન હેાવાથી વીતરાગ દશા હોય છે. બિલકુલ રાગદ્વેષ વિનાની દશા અહિં સાધક અનુભવે છે પણ ભસ્માછન્ન અગ્નિની જેમ કષાયરૂપી પવનથી ઉપશમરૂપી ભસ્મ દૂર થઈ જતાં લાલરૂપી કષાય જે સત્તામાં પડેલા હતા તે અન્તત્ત બાદ ઉદયમાં આવવાથી અહિંથી આત્મા અવશ્ય નીચે પડે છે.
Bud
નીચે પડતા પડતા ૧૦-૯-૮-૭ અટકે તે ઠીક, નહિઁત્તર ઠેઠ ૬-૭-૬-૫-૪-૩-૨૦૧ ઠેઠ પહોંચી જાય છે. આ ઉપશાંત માહી પ્રમાદી બની યાવત્ અન તસ`સારી પણ પાછ બની જઈ શકે છે. માટે સૂક્ષ્મ પણુ કષાયરૂપી કણિયાને જરાપણ વિશ્વાસ કરવા જેવા નથી. કષાય જ ભય કર શત્રુ છે. તે જ સ`સારરૂપી વૃક્ષનું મૂળ છે. આત્માની અનંત સમૃદ્ધિ ઉપર મેટી શિલારૂપ છે. જેમ જેમ ક્રોધાદિ કષાયાનુ જોર મંદ–મ દંતર પડતુ જાય છે અને જ્યારે બિલકુલ તેની શક્તિને ક્ષીણ કરવામાં આવે છે ત્યારે જ સપૂર્ણ આત્માને નિજાનંદ પ્રાપ્ત થાય છે. સાહુનીયકમ સર્વ કર્મોમાં રાજા છે. રાજા હણાયા પછી મીનુ' લશ્કર ભાગ્યે જ સમજે. માટે સાધકે સર્વ પુરુષાથ કષાયને હણવા માટે જ કરવા જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org