SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ તે દેષની ગુરુ આગળ આલોચના કરી પ્રાયશ્ચિત કરવા દ્વારા તુરત શુદ્ધિ કરી લે છે. વૈર-વિરોધ, પારકી પંચાત, ભકતોની ભાંજગડ, નામના, કીર્તિ, યશ, પ્રશંસાને તદ્દન અસ્પૃશ્ય સમજી તેનાથી નિરંતર દૂર જ રહે છે. આત્મપ્રશંસા, પરનિંદા કદાપિ કરતા નથી. ગંભીર–સૌમ્ય-પ્રશાંત હોય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યને ધારણ કરનારો હોય છે. સર્વ વાતમાં આગમને આગળ ને આગળ કરીને ઉત્સર્ગ– અવવાદના સ્થાનને સમજીને સંયમમાર્ગમાં ચાલનારે હોય છે. ગુરૂકુલવાસને પ્રાણુતે પણ છેડતો નથી. ગુરૂના ઉપકારને કદાપિ ભૂલતો નથી. સર્વથા કર્મમુક્ત બનવા સર્વ પુરુષાર્થને જોડે છે. વીતરાગ બનવા તલપાપડ બચે રહે છે. પણ સંજવલન કષાય તેને આગળ વધતાં અટકાવે છે. આ ગુણઠાણાને પ્રમત્ત ગુણઠાણું પણ કહે છે કારણ કે અહિંત્યાં સંજવલન કષાયના તીવ્ર ઉદયથી સાધુમહાત્માને કયારેક પ્રમાદ નડી જાય છે. (૭) અપ્રમત્ત-ગુણઠાણું – અહિંયાં આત્મા પિતાની આત્માની અનંત સંપત્તિને પ્રાપ્ત કરવા કટીબદ્ધ બનેલું હોવાથી તેને પ્રમાદ કરે પાલવે જ કેમ ? પ્રમાદને તો બીચારાને અહિં આ મહાત્મા તેને ઉંચી આંખ પણ કરવા દેતા નથી. પ્રમાદને તેના મૂળ સ્વરૂપમાં ઓળખી લીધા બાદ કેણ તે કટ્ટા ગળાકાટ દુશ્મનને જરાપણ નમતું આપે ? અહિંયાં ધર્મશક્તિ એટલી બધી તીવ્ર બની ગયેલી હોય છે કે બિચારા મેહનું અહિં કાંઈપણ ઉપજતું નથી. અહિં નિરંતર મહાત્મા ધર્મધ્યાનરૂપ પ્રબળ અગ્નિમાં કર્મરૂપી ઈન્ધનને નાખી નાખીને બાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy