SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ (૬) સર્વ—વિરતિ ગુણઠાણું – આ ગુણઠાણે આવેલા મહાત્માએ મેહની તાકાતને વ્રતનિયમોના નિર્મળ પાલન દ્વારા કમજોર કરી દીધી હોવાથી અહિંયાં સર્વથા પાપનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી પાંચ મહાતેનું નિર્મળ પાલન કરી શકે છે. પાંચમા ગુણઠાણે જે પ્રત્યાખ્યાન કષાયની ચોકડી સર્વથા પાપ ત્યાગ કરવામાં વિદન કરતી હતી તેને મહાત કરી નાંખવાથી આ ગુણસ્થાનકપર આત્મા ચઢી શકે છે. અહિં સર્વથા કંરાન-કામિનીનો ત્યાગ કરવાપૂર્વક પાંચ મહાવ્રતોને સ્વીકાર કરેલો હોય છે. મન–વરાન અને કાયાથી કઈપણ હિંસાદિ પાપ કરવું નહિં; કરાવવું નહિ અને કરતોને સારે માનવે નહિં. એવી નવવિધ પ્રતિજ્ઞા કરેલી હોય છે. અહિંયાં ગુરુની આજ્ઞામાં રહી જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગ, ગુરુસેવા, વિનય, માંદા સાધુઓની સેવા, લેકેને ધર્મનો ઉપદેશ, ગામેગામ પગે ચાલીને વિહાર કરે, ભિક્ષા ચર્ચા, પડિલેહણ, પ્રતિક્રમણાદિ ક્રિયાઓમાં દિનરાત પસાર કરવાનાં હોય છે. સંસાર સંબંધી કેઈપણ વસ્તુની માલિકી કે મમત્વ સાધુ રાખતો નથી. ભૂખ, તરત, ઠંડી ગરમી, અપમાન જેવાં કથ્યને સહર્ષ સહન કરે છે. અહિં સાધુને માન-અપમાન; લાભઅલાભ, સુખ-દુઃખ, હર્ષ-શોક, નિંદા-પ્રશંસા, રાજારંક, કંચન-માટીમાં સમભાવ હોય છે. અરે ! પિતાના શરીરપર પણ રાગ કરતો નથી. સ્વ-પરના ભેદને બરાબર સમજતો હોવાથી મહાત્મા આત્માના ગુણે સિવાય ક્યાંયે પર વસ્તુમાં મમત્વને કરતો નથી. નિરંતર પ્રમાદને ત્યાગ કરવાનું લક્ષ રાખે છે. કેઈવાર અહિં સંજવલન કષાયને ઉદય થઈ જવાથી સાધુના સંયમમાં દેાષ લાગી જાય છે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy