________________
૧૦૧
છે. અહિં અલ્પ પ્રમાણમાં મક્ષ રૂચિ અને સહજ ભવ વૈરાગ્ય હોય છે. સ્થૂલથી અને દ્રવ્યથી અહિંસાદિ પાંચ યમનું પાલન કરતા હોય છે. પાપભીરુ હેય, અહિં મિથ્યાત્વને ઉદય હેવાથી શુદ્ધ દેવગુરૂ ધર્મને ઓળખી શકતો નથી તેથી મોક્ષાથે સરાગી દેવ, સરગી ગુરુ અને અશુદ્ધ ધર્મને માને છે. છતાં તે કદાગ્રહી નથી હોતો માત્ર અ૮૫ વિવેકના કારણે “સુ” “કુ ને પ્રશસ્ત વિવેક કરી શક્તો નથી. સરળ પરિણામી હોય છે. સદાચારી જીવન અને સદાચારી પુરૂષોના સહવાસમાં રહેવાનું તેને વિશેષ રુચિકર હોય છે.
(૨) સાસ્વાદન ગુણ ઠાણે
ચોથા ગુણઠાણે જઈ સમક્તિરૂપી અમૃત ભજન કરી ભોજનમાં કંઈ મેહરૂપી મક્ષિકા આવવાથી તે કરેલા ભોજનને વમતવમતે અહિં આવે છે. માત્ર ત્યાં જે સમક્તિરૂપી અમૃતનું ભોજન કર્યું છે તેને માત્ર શેડો સ્વાદ રહી જાય છે. હવે એકવાર સમક્તિરૂપી અમૃતનો સ્વાદ ચાખે. એટલે હવે તેને અમરજીવન મળવાનું નિશ્ચિત થઈ જાય છે. આ આત્મા વધારેમાં વધારે અર્ધ પુગલ પરાવર્તનકાળમાં અવશ્ય મોક્ષરૂપી અમર સંપત્તિને ભેકતા બનવાને. અહિં આ ગુણઠાણે વધારેમાં વધારે છ આવલિકા રહી અનંતાનુબંધી કષાયના ઉદયથી તે અવશ્ય પ્રથમ મિથ્યાત્વ ગુણઠાણે જનારો હોય છે. આ બીજા ગુણઠાણે પહેલે ગુણઠાણેથી ન જ આવે ૪ થી પડતજ આવે.
હજુ પ્રથમ ગુણઠાણે રહેલા જીવે ગ્રંથભેદ કરીને જ આવેલા હોય છે. એ નિયમ નહિં, પણ આ બીજે ગુણઠાણે આવેલે નિચેમા ગ્રંથભેદ કરીને જ આવેલું હોય છે. અને તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org