________________
તેનું અગાધ પાંડિત્ય, અગાધ શાસ્ત્રનું જ્ઞાન પણ તેના આત્મમંદિરમાં પ્રકાશ પાથરી શકતું નથી. તેના આત્મમંદિરમાં તો સદા ગાઢ મહીંધકાર છવાયેલા હોય છે. તેનું જ્ઞાન તેને આત્મસ્વરૂપ તરફ લઈ જતું નથી પણ ઉલટું આત્મસ્વરૂપથી વિમુખ દૂરને દૂરજ ભૌતિકતા તરફ જ તાણું જાય છે. તેને ભવમાંજ આનંદ દેખાય છે. તેના જીવનનું ધ્યેય ભૌતિક સુખ ભૌતિક આનંદ તેવાં સુખ અને આનંદ જ્યાંથી મળતા હોય ત્યાં તે દેડી જાય છે. પછી કોઈ કહે કે આટલે તપ કરે તે સ્વર્ગ મળશે તે તપ કરવા તૈયાર થઈ જશે. આટલું દાન કરો તે કીર્તિ–વાહવાહ થશે. તો દાન આપવા તૈયાર. આ મહારાજ જંતર-મંતર જ્યોતિષ વગેરે સારું જાણે છે. માટે તેની ઉપાસના-સેવા કરો તે તમારું કામ થઈ જશે તે તૈયાર. કેશરીયાજી દાદા કરે આપે છે માટે જાઓ તેમની ભક્તિ પૂજા માન્યતા વગેરે કરો તો તમારી કામના પૂર્ણ થઈ જશે તે કરવા તૈયાર. એટલે તે કઈવાર બાહ્ય દૃષ્ટિથી દેવ-ગુરૂધર્મની ઉપાસના કરતો લાગે છે, પણ તેની દષ્ટિ આત્મવિકાસની નથી–મોક્ષની નથી વૈરાગ્યની નથી તેથી તે તેના દ્વારા કેવળ પોતાની ભૌતિક મલીન વાસનાઓને પોષવા દિવ્યસુખ વગેરે પ્રાપ્ત કરવા માટે કરતા હોય છે.
આત્માની ઉત્કાતિને કાળ ચરમાવર્ત
જેમ રેગની મંદ અવસ્થા એ ઔષધને યોગ્ય છે. રોગની મંદ અવસ્થામાં ઔષધ લાગુ પડે છે તેમ ચરમાવર્તન કાળ આત્મા માટે ધર્મ ઔષધને એગ્ય કાળ છે.. રામાવર્તમાંજ ધર્મ ઔષધ આત્માને લાગુ પડે છે. તેથી આત્મા માટે ધર્મ ઔષધના પ્રયેગને કાળ ચરમાવર્ત જ છે. રીરમાવર્ત એટલે અમુક મર્યાદિત સંસારકાળ કે જેમાં હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org