SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ આ ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યમય વસ્તુ સ્વરૂપ જાણું પિતાની દૃષ્ટિને ઉત્પાદ અને નાશ પર ન લઈ જતાં મૂળ ધ્રૌવ્ય અંશ ઉપર રાખવાથી રાગ-દ્વેષની જાળમાંથી આત્મા બચી જશે. પર્યાય ઉપર દષ્ટિ રાખવાથી જ હર્ષ–શક, રાગદ્વેષ ક્ષણે ક્ષણે થયા કરે છે. પર્યાય ક્ષણિક છે. માટે તેના ઉપર રાગ-દ્વેષ શા કરતા તા. - દ્રવ્ય દષ્ટિએ બધાંજ ત્રિભુવનવતી આત્મદ્ર સમાન છે. મૂળ આત્મદ્રવ્યમાં કંઈપણ ફરક નથી તેથી બાહ્ય કર્મ કૃત વિષમ અવસ્થાઓને દેખી રાગ-દ્વેષ નહિં કરવા. કારણકે હમણાં જે અવસ્થા દેખી રાગ કરીએ છીએ. વળી ક્ષણ બાદ તે અવસ્થા પલટાતાં પાછો ઠેષ થશે. કપડું સફેદ દૂધ જેવું દેખી હમણું રાગ કરતે હતો અને બીજી ક્ષણે કઈ શાહી વગેરેનાં છાંટા પડવાથી તેના ઉપર શ્રેષ-અરૂચિ કરવાનો. તેથી વસ્તુના પર્યાયે ક્ષણિક છે. ક્ષણિક પર્યાયને દેખી હર્ષ–શેક ન કરતાં મૂળ દ્રવ્ય ઉપર દષ્ટિ રાખી મધ્યસ્થ રહેવું જ હિતાવહ છે, અને તેમાં બુદ્ધિમત્તા છે. . બીજું જેમ ઉત્પાદ વડે ઉત્પન્ન થયેલ વસ્તુ જણાય છે, તેમ નાશ પામેલ વસ્તુ વિનાશ વડે જણાય છે. વળી ઉત્પાદ સિવાય જેમ વસ્તુને નાશ નથી તેમ વિનાશ વિના વસ્તુની ઉત્પત્તિ પણ નથી. કારણકે માટીનું પૂર્વ સ્વરૂપ નાશ પામ્યા વગર ઘટની ઉત્પત્તિ નથી થતી, તેવી જ રીતે સર્વ વસ્તુમાં સમજવું. માટે વિનાશ પણ ઉત્પતિને હેતુ હવાથી વસ્તુનું લક્ષણ છે, વળી જેમ ઉપાદ ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy