________________
૯૫
આવે। ત્રયાત્મક વસ્તુ સ્વભાવ ન માનીએ તે જગત વ્યવસ્થા ન ઘટે અને જે પ્રત્યક્ષ હાય તેમાં વિરાધની ગંધ પણ કયાંથી હેાય ? તેથી જે ક્ષણે નાશ તેજ ક્ષણે ઉત્પતિ અને મૂળ દ્રષ્ય કાયમ. આ સત્ નું લક્ષણ સજ્ઞ પરમાત્માએ કેવળ જ્ઞાનરૂપી દિવ્ય રાશ્રુ દ્વારા વસ્તુ સ્વભાવને પ્રત્યક્ષ દેખી જ બતાવ્યુ` છે. માટે એકાંતે વસ્તુ નાશવંત પણ નથી એકાંતે ઉત્પન્નશીલ પણ નથી. અને એકાંતે નિત્ય પણ નથી. પણ પ્રતિ સમય એકજ વસ્તુમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા રહેલી છે. અર્થાત્ વસ્તુ સ્વભાવ જ આવા છે. કાઈ પૂછે કે અગ્નિ ઉષ્ણુ કેમ ? તે તેના જવાબ એકજ હાય છે કે તેને સ્વભાવ જ ઉષ્ણ છે. તેથી સ્વભાવની વાતમાં પનુયાગ ન હાય. વસ્તુ સ્વભાવ નિયત હાય છે તેને ફેરવવા કાઇપણ ત્રિભુવનમાં સમથ નથી.
જે વસ્તુના જેવા સ્વભાવ હાય છે તેવાજ પૂર્ણ જ્ઞાની જ્ઞાનમાં દેખી મતાવે છે. અથવા જ્ઞાની તેવા વસ્તુ સ્વભાવને પેાતાના જ્ઞાનના વિષય અનાવે છે, પણ વસ્તુ સ્વભાવનું સ્વયં નિર્માણ નથી કરતા. પ્રત્યેક વસ્તુના સ્વભાવ અનાદિ કાળથી નિયતજ છે. તેમાં કાઇ કઈપણ ફેરફાર કરવા સમર્થ નથી.
ઝેર મારે અને અમૃત જીવાડે. આ મનેના સ્વભાવ કાણ નક્કી કરવા ગયેલું છે ? તેમાં પાપને સ્વભાવ દુઃખ આપવાના અને ધર્મનો સ્વભાવ સુખ આપવાના, દુનના સ્વભાવ લેાકેા ઉપર અપકાર કરવાના અને સજ્જનને સ્વભાવ અપકારી ઉપર પણ ઉપકાર કરવાના, લસણુના સ્વભાવ સુખને દુર્ગંધી બનાવવાના અને કસ્તુરીને સ્વભાવ મુખને સુવાસિત બનાવવાના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org