SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ પૂર્વે અપંડિત હતો તેજ હવે પંડિત બને અને તે માણસ તે અપંડિત કે પંડિત બંને અવસ્થામાં એક જ સ્થાયી છે. એટલે અપંડિતપણાને નાશ થાય ત્યારે જ તે જ ક્ષણે પંડિતપણને ઉત્પાદ અને મૂળ માણસ કાયમ. આ ધારાસભ્ય મંત્રી બન્યા આમાં પણ તેજ વસ્તુ જોવા મળશે. ધારાસભ્ય અવસ્થાને નાશ મંત્રીપદને ઉત્પાદ અને તે વ્યક્તિ કાયમ. એટલું જરૂર ખ્યાલમાં રહે કે કેઈપણ વસ્તુને એકાદ પર્યાય કે અવસ્થાને નાશ થવાથી કંઈ આખી મૂળ વસ્તુને નાશ થઈ જતો નથી. માત્ર જે અવસ્થા તેની નાશ પામી તેટલાજ અંશમાં તે વસ્તુ નાશ પામી ગણાય. બાકીના અનેક અંશે તો હયાત જ છે. " એક માણસની જીવનમાં કેઈ બાલ્યાવસ્થા, કુમારાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા આ અવસ્થાઓ કમશઃ આવતી જાય છે. અને પૂર્વ પૂર્વ અવસ્થાઓને નાશ થતું જાય છે. પણ કંઈ તે વ્યક્તિને સંપૂર્ણ નાશ થઈ જતે નથી. એક માણસ શરીર પર દિવસમાં ચાર વાર નવાં નવાં કપડાં ધારણ કરે છે. અને જુનાં જુનાં કપડાં કાઢી નાખે છે. એટલા માત્રથી શરીરનો નાશ થઈ જતું નથી. શરીર તે તેનું તેજ રહે છે . એવું જ આત્મ દ્રવ્યની બાબતમાં છે. મૂળ આત્મા સ્થાયી રહીને તેની મનુષ્ય, નાક, દેવ, પશ વગેરે અવસ્થાએ પલટાયા કરે છે. મનુષ્ય અવસ્થાને નાશ-દેવઅવસ્થાની ઉત્પતિ અને મૂળ આત્મદ્રવ્ય કાયમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy