________________
૩
આમાં પ્રથમ છોકરો નારાજ થયે, બીજા છોકરીને આનંદ થયો અને બાપ બંનેમાં મધ્યસ્થ છે.
જે વસ્તુમાં આ ત્રણ સ્વભાવ ન માનીએ તો આ ત્રણ લાગણીઓ જુદી જુદી કેમ થાય ? આ વસ્તુ સ્થિતિ સૂચવે છે કે વસ્તુ ત્રયાત્મક છે. નહિતર ત્રણેને જુદી જુદી લાગણી થાય નહિ. હારનો નાશ, કંદોરાની ઉત્પતિ થતાં જ હારવાળાને શક, કદરાવાળાને આનંદ અને પિતા સુવર્ણ જ હેવાથી મધ્યસ્થ છે. તે તે સમજે છે કે સુવર્ણ કયાંયે ગયું નથી. પહેલાં જે હારમાં હતું તેજ કંદોરામાં મોજુદ છે. તેથી તેની દષ્ટિ મૂળ સનારૂપી દ્રવ્ય ઉપર હોવાથી મધ્યસ્થ છે. જ્યારે પ્રથમ છોકરે હારાર્થી હતો, તેને હાર પ્રિય હતું તેથી તેને નાશ થતો દેખી શેક કરવા લાગ્યો. અને બીજે છોકરો કંદરાથી—કદેરાપ્રિય હતો તેને પોતાની પ્રિય વસ્તુ પ્રાત થતાં ખુશ થયો.
દૃષ્ટાંત બીજું:- હમણા વિવક્ષિન સમયે એક વ્યક્તિની આંગળી સીધી છે. પછી વાંકી કરી. વળી પાછી સીધી કરી. આમાં વક આંગળી કયારે ઉત્પન્ન થઈ કે જ્યારે સીધી આંગળીને નાશ થયે ત્યારે વક આંગળીની ઉત્પતિ અને મૂળ આંગળી કાયમ. એક જ સમયે એક જ વસ્તુમાં ત્રણ અવસ્થાઓ જોવા મળે છે. સીધી આંગળીને નાશ ન થાય તો વક આંગળી ઉત્પન્ન ન થાય અને ઉત્પન્ન થયા વગર પૂર્વ વસ્તુનો નાશ પણ કેમ થાય ?
માણસ પંડિત થયે આમાં પણ તે વસ્તુ જોવા મળશે જેમકે – માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org