________________
૯૦
તે સામગ્રી દ્વારા ભવસાગર તરવાને પુરુષાર્થ તે આત્માએ જ કરવો પડે છે.
ગુરુ કાળજી પૂર્વક શિષ્યને ભણવે પણ ભણવાને, આપેલા પાઠને તૈયાર કરવાને, ગેખવાનો, વિચારવાને પુરુષાર્થ તે શિષ્ય જ કરવું પડે છે. તો જ તે શિષ્ય વિદ્વાન બની શકે છે.
આમ પ્રત્યેક કારણુ કાર્યની પ્રતિ બાહ્ય દષ્ટિથી અલગ અલગ દેખાવા છતાં તાત્વિક દષ્ટિએ એ પાંચે પરસ્પર હળીમળીને જ કાર્યના સાધક બને છે. કેઈવાર ઘણે પુરુષાર્થ કરવા છતાં કાર્યની સિદ્ધિ ન થાય ત્યાં ભાગ્ય બળવાન સમજવું. કેઈવાર હેજ પુરુષાર્થથી લાખ રૂપિયા મલી જતા દેખાય ત્યાં પુણ્યકર્મની પ્રધાનતા સમજવી. જ્યાં કાર્યની સફળતામાં પુરુષાર્થ ઘણે દેખાય ત્યાં પુરુષાર્થ મુખ્ય અને કર્મ ગૌણ સમજવું.
આમ જૈન દર્શનની દષ્ટિએ પાંચ કારણવાદના સ્વરૂપનું સંક્ષેપથી પ્રતિપાદન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org