________________
-
ભવિતવ્યતા નિયત થયેલી હોય છે તે યુવાનીમાં પુત્રની પ્રાપ્તિ થતી જ નથી અને ઠેઠ વૃદ્ધાવસ્થામાં પુત્ર પ્રાપ્તિ થાય છે.
માણસ કેટલીકવાર સીધું કરવા જાય છે, પણ ભવિ'તત્યતા ઉંધુ વાળે છે. કેટલીકવાર મનુષ્ય વિચાર કરે છે કે મારે અમુક વાત કેઈ આગળ કહેવી નથી, પણ ભવિતવ્યતા કઈ એવી હોય છે તે ભૂલથી ન કહેવાની વાત સહસા કહેવાઈ જાય છે. - પાંડ અને દ્રૌપદીને કષ્ટ ભોગવવાનાં નિયત થયેલાં હતાં તે દ્રૌપદીના મોંઢામાંથી નીકળી ગયું કે આંધળાના છોકરા આંધળા જ હોયને!
બસ, ભવિતવ્યતાવશ સતીના મુખ પર કલ ન રહી શકયે, જેથી મહાભારતનું યુદ્ધ સજાઈ ગયું.
અધ્યામાં રામચંદ્રજીનો રાજ્યાભિષેક કરવાની તૈયારી થઈ રહી હતી અને ત્યાંજ ભવિતવ્યતાવશ વનમાં જવાનું થયું
(૪) પૂર્વકૃત કર્મ( ભાગ્ય અનુકુળ હોય છે તે મનુષ્ય વ્યાપારમાં કમાય છે. અને બાજુની દુકાનમાં એક જ જાતને એકસાથે વ્યાપાર કરનાર બીજે વેપારી ગુમાવે છે. તેમાં તે બંનેના શુભાશુભ કર્મો જ કારણ છે.
બે સમાન દરદીઓ એક જ ડૉકટરની હોસ્પીટલમાં એક જ નર્સની દેખરેખ નીચે દવા કરાવે છે છતાં એક દરદીને સારું થાય છે અને બીજાને સારું થતું નથી. તેમાં તેઓનાં શુભાશુભ કર્મ જ કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org