________________
કર્મસત્તા સાથે છે.
સંસારમાં જે કંઈ થાય છે તે કર્મને કારણે થાય છે તેમ ન માનવું. કોઈ પણ ઘટના ઘટે તે માટે કર્મથી વિભિન્ન એવી ચાર સત્તાઓ પણ વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે જવાબદાર હોઈ શકે. આ પાંચ મહાસત્તાઓનો સમવાય કહેવાય છે. આ પાંચના સહયોગ વિના કોઈ ઘટના ઘટતી નથી પણ તેમાં મુખ્ય કોણ બની રહે છે અને ગૌણ કોણ છે તે જોવાનું હોય છે અને જે વાત આપણા હાથની હોય તે સંભાળી લેવાની હોય છે. આ છે કર્મવિજ્ઞાનની ગહન વાતો - કર્મનાં રહસ્યો. કર્મવાદ એ સ્વતંત્ર વિષય છે. જૈન ધર્મમાં પાયાથી માંડીને શિખર સુધી કર્મની જ વાત છે. પાયામાં જીવ અને કર્મ ઓતપ્રોત થઈને પડ્યાની વાત છે. જેમ જેમ જીવ ઊંચે ચડતો જાય છે, તેમ તેમ કર્મ ખસતાં જાય. પછી નવાં કર્મ ઓછાં આવે અને જે આવે તે મોટે ભાગે શુભ કર્મ જ હોય. શિખર એટલે તો સિદ્ધશિલા આવી ગઈ જ્યાં જીવ સકલ કર્મોનો ક્ષય કરીને શુદ્ધ-બુદ્ધ સ્વરૂપે પોતાના સ્વભાવમાં - અનંત આનંદમાં શાશ્વતકાળ માટે સ્થિત થઈ જાય. ત્યાર પછી જીવ કદીય સંસારમાં પાછો ન આવે.
૮૨
Jain Education International
For Private & Personal Use Only
જૈન ધર્મનું હાર્દ
www.jainelibrary.org