________________
૧૦ | સજગતા અને સાધના |
ભગવાન મહાવીરની ધર્મપ્રરૂપણાની વિશિષ્ટતા છે કે નાની દેખાતી ધર્મક્રિયાઓમાં તેમણે સમસ્ત આરાધના ઉતારી દીધી હોય છે. આવી એક મહત્ત્વની વાત છે - પ્રવચન માતા. પ્રવચન માતા એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. આમ જોઈએ તો બધા જૈનો તેનાથી માહિતગાર છે પણ મોટા ભાગના જેનો એમ માને છે કે સમિતિ અને ગુપ્તિ કેવળ સાધુ-સાધ્વીઓ માટેનો કે પૌષધમાં શ્રાવકોએ પાળવા માટેનો આચાર છે. તેથી સાધુ-સાધ્વી જ્યારે ગોચરી ઈત્યાદિ માટે આવે-જાય ત્યારે શ્રાવકો તેમની સમિતિ સચવાય એટલું ધ્યાન રાખે છે. વાસ્તવિકતામાં પ્રવચન માતા સાધુ અને શ્રાવક માત્ર માટે આરાધનાનું અણમોલ સૂત્ર છે. તે એટલે સુધી કે તત્ત્વજ્ઞાનમાં ઊંડો ન ઊતર્યો હોય તેવો કોઈ પણ ભદ્રિક જીવ ભાવપૂર્વક આ સમિતિ અને ગુપ્તિનું પાલન કરે તો તે આરાધનામાર્ગમાં કેટલોય આગળ નીકળી જાય. પાંચ સમિતિ અને ત્રણ ગુણિને માતા કહે છે તે વાત ઘણી સૂચક છે. જેમ માતા પોતાના બાળકની સંપૂર્ણ સંભાળ રાખી, તેનું હિત જળવી તેને આગળ વધારે તેમ આ સમિતિ અને ગુપ્ત સાધકના હિતનું રક્ષણ કરી તેને સંભાળપૂર્વક ધર્મમાર્ગમાં આગળ લઈ જાય છે. તેથી સમિતિ કે ગુપ્તિનું સહેજ પણ ઓછું મૂલ્ય કોઈ ન કે.
- જૈન ધર્મ કર્મની ઘણી વાત કરી. તેના ઉપર ઊંડું ચિંતન કર્યું. અને કર્મને તોડવાની – નષ્ટ કરવાની વાત કરી. પણ સાથે સાથે તેણે કર્તા ઉપર પણ ધ્યાન રાખવાની વાત કરી સજગતા અને સાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org