SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ છે જે ઘણાની નજર બહાર રહી જાય છે અથવા જોઈએ તેટલું ધ્યાન તેના ઉપર અપાતું નથી. કર્તા વિના કર્મ થતું નથી. જો કર્તા સાવધ હોય સજાગ હોય તો કર્મને રોકાયા વગર કે ખસ્યા વિના છૂટકો થતો નથી. સિમિત અને ગુપ્તિમાં કર્તા ઉપર ધ્યાન રાખી, કર્તાને કેન્દ્રમાં રાખી સાધનાની વાત કરવામાં આવી છે. કર્તા જો હોશમાં હશે તો કૃત્ય યોગ્ય જ થશે અને કર્મબંધ અલ્પ થવાનો. પાંચ સમિતિ વિધાયક છે જ્યારે ત્રણ ગુપ્તિ નિષેધાત્મક છે આ વાત ધ્યાનપાત્ર છે. સમિતિમાં જાગરૂક રહેવા ઉપર જોર છે. ગુપ્તિનું સ્વરૂપ નિષેધાત્મક છે પણ વાસ્તવિકતામાં તે ખૂબ સક્રિય આરાધના છે. તેમાં બહારથી નિષ્ક્રિય રહેવાની વાત દેખાય છે પણ વાત ત્યાં પૂરી થતી નથી. બહારથી નિષ્ક્રિય થઈને પછી એમાં અંદર ઊતરવાની વાત છે. બહારથી સીમિત ક્રિયા પણ અંદરથી તેજ સક્રિયતા. -- સાધનાના પ્રથમ ચરણમાં સમિતિ છે. તેના હાર્દમાં છે કે બધું હોશપૂર્વક કરો, જાગૃતિમાં રહો. આપણે સમિતિ એટલે જયણા કે ધ્યાનપૂર્વકનો વ્યવહાર એ રીતે વધારે સમજીએ છીએ. પણ તેમાં મૂળ વાત છે જાગરૂકતાની, હોશ વિના ક્રિયાની જયણા સંભવે નહિ અથવા તો આપણે જયણાને જ જાગરૂકતાનો પર્યાય સમજવો જોઈએ. પહેલી સમિતિ ઇર્યા સમિતિ છે. એટલે કે જે કંઈ હલનચલન કરો તે હોશપૂર્વક કરો. તે દરમ્યાન કોઈ પણ નાનામોટા જીવની વિરાધના ન થાય કે કદર્થના ન થાય તે વાત તો તેમાં આવી જ જાય. પણ તેનાથી કંઈ વધારે તેમાં છે ૮૪ જૈન ધર્મનું હાર્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy