SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ અને તે છે જાગરૂકતાની વાત. આપણે પ્રયોજન વિના કેટલું બધું હલન-ચલન કરતા હોઈએ છીએ ? કારણ કે આપણે સજાગ નથી. આપણે પ્રમાદમાં જ કેટલું બધું કર્યા કરીએ છીએ ? અને તેનાથી અકારણ આપણી મોંઘામૂલી જીવનઊર્જાનો વ્યય કરી નાખીએ છીએ. વળી પ્રમાદ પણ કર્મબંધનું એક સબળ કારણ છે. ઇર્યા સમિતિનું સૂત્ર છે કે હોશમાં રહો અને જરૂર વગર કોઈ હલન-ચલન પણ કરશો નહિ. આપણને જીવનમાં નવરાશ નથી મળતી કારણ કે આપણે અકારણ કેટલીય પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીએ છીએ. વળી જે કંઈ કરીએ છીએ તે વખતે આપણે પૂરતા સજાગ પણ હોતા નથી. ઇર્ષા સમિતિ અલ્પ કર્મબંધનું કારણ બને છે. જે હિંસાથી જીવને બચાવી લે છે એટલું જ નહિ, પણ જીવનઊર્જાનું પણ જતન કરે છે. બીજી સમિતિ છે ભાષા સમિતિ. ભગવાન મહાવીર સાધનાકાળમાં બાર વર્ષ મૌન રહ્યા. જૈન ધર્મે મૌનને તો મોટી આરાધના ગણી છે. જૈન ધર્મમાં સાધુ માટે ‘મુનિ’ શબ્દનો પ્રયોગ થાય છે જે સહેતુક છે. શબ્દના સહયોગ વિના વિચાર ચાલી શકતો નથી. વિચાર એ ચંચળતા છે. ભાષા વિના તમે બહારના જગત સાથે સંબંધ બાંધી શકતા નથી. ભાષા એ સેતુ છે. ભાષા રોકી લો એટલે તમારા બધા સંબંધો રોકાઈ જશે, સંસાર સીમિત બની જશે. ભાષા રોકાય પછી બાકી શું રહે ? કેવળ અનુભૂતિ. જૈન ધર્મ અનુભૂતિના આધારે ઊભો છે. કેવલી પન્નતો ધમ્મો – એ વાક્યનો સૂચિતાર્થ છે કે કેવળીને જે અનુભૂતિ થઈ અને તેને આધારે તેમણે જે સજગતા અને સાધના ૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy