SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ભાખ્યું તે ધર્મ, નહિ કે આગળના વેદ-પુરાણો વાંચીને કે શ્રુતના આધારે તેમણે ધર્મ કહ્યો. આ છે ભાષા સમિતિનું હાર્દ. - બાકી વ્યવહારમાં તો ભાષા સમિતિનો અર્થ સામાન્ય રીતે એટલો જ થાય છે કે આવશ્યક હોય એટલું જ બોલવું. જે કંઈ બોલીએ તે વિવેકપૂર્ણ અને વિનયપૂર્વકનું હોય. વળી ભાષા પણ મધુર હોવી જોઈએ. કોઈ પણ જીવને દુઃખ થાય કે હાનિ પહોંચે તેવી ભાષા પણ ન બોલવી જોઈએ. આ વાતો મહત્ત્વની છે પણ ભાષાનો સંયમ, મૌનની આરાધના અને અનુભૂતિનો આધાર આ સમિતિની સૂક્ષ્મ બાબતો છે. ત્રીજી છે એષણા સમિતિ. આપણે સામાન્ય રીતે તેનો અર્થ કરીએ છીએ કે વસ્તુઓ લેવા-મૂકતાં કોઈ જીવની વિરાધના ન થાય તેનો ખ્યાલ રાખવો. માલિકની સંમતિ વિના કોઈ પણ વસ્તુ લેવી નહિ. આપણે આ વાતની સામે કંઈ કહેવાનું નથી પણ આ વાતને અહીં અટકાવી દેવાની નથી. એષણા એટલે તૃષ્ણા. તૃષ્ણાનું સામ્રાજય ઘણું મોટું છે. ગમે તેટલું ઘરમાં ભરો પણ રોજ કંઈ ખૂટતું ને ખૂટતું લાગવાનું. સૌથી મોટી તૃષ્ણા છે જીવેષણા. જીવેષણા જેવી કોઈ એષણા નથી, ઈચ્છા નથી. બેફામ બનેલી કે નિયંત્રણ વિનાની જીવેષણા વાસના બની જાય છે અને તેની પૂર્તિ કરવામાં આપણું જીવન વહી જાય છે. એષણાની પૂર્તિ કરવા પાછળ આપણે જીવનની અમૂલ્ય ઊર્જા વેડફી નાખીએ છીએ અને પછી દરિદ્ર બની જઈએ છીએ. એષણા આપણને દોડાવે છે. આપણા મોટા ભાગનું જીવન ભોગનાં સાધનો એકઠાં કરવામાં વીતી જાય છે. વાસ્તવિકતામાં જીવવા માટે આપણે આટલી ભાગમૂ-ભાગ ૮૬ જૈન ધર્મનું હાર્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy