________________
ભાખ્યું તે ધર્મ, નહિ કે આગળના વેદ-પુરાણો વાંચીને કે શ્રુતના આધારે તેમણે ધર્મ કહ્યો. આ છે ભાષા સમિતિનું હાર્દ. - બાકી વ્યવહારમાં તો ભાષા સમિતિનો અર્થ સામાન્ય રીતે એટલો જ થાય છે કે આવશ્યક હોય એટલું જ બોલવું. જે કંઈ બોલીએ તે વિવેકપૂર્ણ અને વિનયપૂર્વકનું હોય. વળી ભાષા પણ મધુર હોવી જોઈએ. કોઈ પણ જીવને દુઃખ થાય કે હાનિ પહોંચે તેવી ભાષા પણ ન બોલવી જોઈએ. આ વાતો મહત્ત્વની છે પણ ભાષાનો સંયમ, મૌનની આરાધના અને અનુભૂતિનો આધાર આ સમિતિની સૂક્ષ્મ બાબતો છે.
ત્રીજી છે એષણા સમિતિ. આપણે સામાન્ય રીતે તેનો અર્થ કરીએ છીએ કે વસ્તુઓ લેવા-મૂકતાં કોઈ જીવની વિરાધના ન થાય તેનો ખ્યાલ રાખવો. માલિકની સંમતિ વિના કોઈ પણ વસ્તુ લેવી નહિ. આપણે આ વાતની સામે કંઈ કહેવાનું નથી પણ આ વાતને અહીં અટકાવી દેવાની નથી. એષણા એટલે તૃષ્ણા. તૃષ્ણાનું સામ્રાજય ઘણું મોટું છે. ગમે તેટલું ઘરમાં ભરો પણ રોજ કંઈ ખૂટતું ને ખૂટતું લાગવાનું. સૌથી મોટી તૃષ્ણા છે જીવેષણા. જીવેષણા જેવી કોઈ એષણા નથી, ઈચ્છા નથી. બેફામ બનેલી કે નિયંત્રણ વિનાની જીવેષણા વાસના બની જાય છે અને તેની પૂર્તિ કરવામાં આપણું જીવન વહી જાય છે. એષણાની પૂર્તિ કરવા પાછળ આપણે જીવનની અમૂલ્ય ઊર્જા વેડફી નાખીએ છીએ અને પછી દરિદ્ર બની જઈએ છીએ. એષણા આપણને દોડાવે છે. આપણા મોટા ભાગનું જીવન ભોગનાં સાધનો એકઠાં કરવામાં વીતી જાય છે. વાસ્તવિકતામાં જીવવા માટે આપણે આટલી ભાગમૂ-ભાગ ૮૬
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org