________________
તે કર્મ અંગે જીવના મનમાં જે ભાવ થાય છે તેની કર્મના બંધ ઉપર ઘણી અસર પડે છે. કર્મ થયા પછી, તેનો બંધ પડ્યા પછી જીવ આનંદમાં આવી જાય અને તે ભાવ ઘૂંટ્યા કરે તો તે કર્મના બંધ ગાઢ થઈ જાય. કર્મ થયા પછી જીવ જો પશ્ચાત્તાપ કરે અને મનમાં તે ભાવ ઘૂંટાયા કરે તો જીવનો કર્મબંધ શિથિલ થઈ જાય. માટે પુણ્યકર્મ સારાં કર્મ કરીને તેની અનુમોદના કરવાનું અને પાપકર્મ-ખોટાં કર્મ થઈ ગયા પછી પસ્તાવો કરવાનું જૈન ધર્મમાં વિધાન છે. જૈન ધર્મે તો બંધ કરતાં અનુબંધને ઘણો મહત્ત્વનો ગણ્યો છે.
કર્મ એ વાસ્તવિકતામાં જડ પદાર્થના અતિસૂક્ષ્મ પરમાણુ છે. પણ જડમાં ઘણી તાકાત હોય છે. અણુશક્તિ એ જડ શક્તિ છે. કર્મ જેને લાગે છે કે લાગેલું હોય છે તે જીવ એટલે ચૈતન્ય સત્તા છે. જડ શક્તિશાળી છે પણ ચૈતન્ય જો જાગે તો તેની પાસે અનર્ગળ શક્તિ છે જેનાથી તે જડ એવી કર્મસત્તાને હઠાવી શકે. આપણે કર્મની શરણાગતિ નથી સ્વીકારવાની પણ કર્મ સાથે સંઘર્ષ કરી તેનો પરાભવ કરવાનો છે. – તેને જીતવાનાં છે તેથી તો જૈન ધર્મ, જિનોનો માર્ગ કહેવાય છે.
સંસારમાં જડ અને ચેતન એમ કેવળ બે જ સત્તાઓનું અસ્તિત્વ નથી. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ (ચૈતન્ય) એ પાંચ પ્રબળ મહાસત્તાઓનો સંસાર છે. એમાંની પ્રથમ ત્રણ સામે આપણું કંઈ ન નીપજે. પણ તે ત્રણ સત્તાઓ આપણા સુખની આડે પણ નથી આવતી. આપણે સીધી નિસ્બત છે તે કર્મસત્તા સાથે. આપણો સંઘર્ષ
કર્મસાર
જૈ.હા.-૬
Jain Education International
For Private & Personal Use Only
૮૧
www.jainelibrary.org