________________
ન હોવાથી આવું બધું જોઈને મૂંઝાઈ જાય છે અને ઘણીવાર કર્મમાંથી (ધર્મમાંથી) તેમની શ્રદ્ધા ડગમગી જાય છે. - કર્મ વિપાકથી પણ ઉદયમાં આવે અને પ્રદેશથી પણ ઉદયમાં આવે. વિપાથી ઉદયમાં આવેલા કર્મનો પ્રભાવ વર્તાય,
જ્યારે પ્રદેશથી ઉદયમાં આવેલા કર્મનો ઉદય ન વર્તાય કારણ કે તે પ્રભાવ બતાવ્યા વિના આત્માથી અલગ થઈ જાય છે. જ્ઞાની કે સબળ આરાધક ઘણાં કર્મો પ્રદેશથી ઉદયમાં લાવીને . પોતાનાથી અળગાં કરી દે છે.
કર્મ વહેલા ઉદયમાં લાવી શકાય, તેનો ઉદય પાછો પણ ધકેલી શકાય (અપવાદ ઉદયાવલિકામાં પ્રવેશેલું કર્મ), કર્મને લાંબું-ટૂંકું પણ કરી શકાય, સજાતીય કર્મમાં ભેળસેળ પણ કરી શકાય. જેનાથી સારામાઠાં કર્મની અસરો વત્તા-ઓછી વર્તાય. કર્મના બળમાં એટલે કે રસની તીક્ષ્ણતામાં પણ વધઘટ કરી શકાય. આ બધાં કર્મને લાગતાં કરણો કહેવાય છે.
કર્મબંધનાં કારણોમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે. મિથ્યાત્વ એટલે વસ્તુનું વિપરીત ભાન; અવિરતિ એટલે સંયમનો અભાવ, કષાય એટલે રાગ અને દ્વેષ; યોગ એટલે મન-વચન-કાયાનું પ્રવર્તન.
કર્મ ક્યારેય નિમિત્ત લીધા વિના ઉદયમાં નથી આવતું. કર્મના ઉદય માટેનાં પાંચ નિમિત્તો છે : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ. પ્રબળ કર્મનો ઉદય આવી પહોંચ્યો હોય તો તે નિમિત્તને ઘસડી લાવે પણ તે નિમિત્ત તો લે જ.
કર્મના અનુબંધની જૈન ધર્મે જે વાત કરી છે તેવી તો અન્ય કોઈ ધર્મ કરી નથી લાગતી. કર્મનો બંધ થયા પછી
જૈન ધર્મનું હાર્દ
૮O
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org