________________
કરનારો હોય - એમ કનિષ્ઠ ભાવોમાં રાચનારો હોય તો તે પાપકર્મ વધારે બાંધે. સામાન્ય રીતે લોકો પાપકર્મને તો છોડવા જેવું ગણે છે. પણ જૈન ધર્મે એક વિશિષ્ટ વાત કરી કે પુણ્યકર્મ પણ છેવટે છોડવા જેવું છે. ભલે શરૂઆતમાં જીવ પુણ્યકર્મની સહાયથી પાપકર્મ છોડતો રહે પણ પછી શુદ્ધ સ્વરૂપમાં આવવા માટે પુણ્યકર્મ પણ વર્ષ છે.
કર્મની સવિસ્તર ચર્ચા કરવાનો તો અહીં અવકાશ નથી - છતાંય અહીં મેં તેનો સારભાગ તો આપી દીધો છે. તદુપરાંત કર્મની બીજી કેટલીક મહત્ત્વની બાબતોનો પણ અહીં ઉલ્લેખ કરી લેવાનું મને ઠીક લાગે છે.
જૈન ધર્મમાં કર્મ એટલે ક્રિયા એકલી જ નહિ. મન, વચન, અને કાયાના કોઈ પણ યોગથી કે ત્રણેયના યોગથી જીવ જે કંઈ કરે તે બધું કર્મ જ થઈ ગયું. રાજય કે સમાજ તો ક્રિયાને કર્મ ગણે છે પણ કર્મસત્તામાં તો વચન નીકળ્યું કે મનનો ભાવ થયો ત્યાં કર્મ તો થઈ ગયું જ.
જીવ જે સ્વરૂપે કર્મ બાંધે છે તે સ્વરૂપે કર્મ ભાગ્યે જ ઉદયમાં આવે છે. કારણ કે કર્મનો ઉદય થતાં પહેલાં જીવની ભાવદશા-પ્રવૃત્તિ વગેરે હંમેશાં પલટાતાં રહે છે જેને કારણે બંધાયેલ કર્મમાં ફેરફારો થઈ જાય છે. વળી કર્મને ઉદયમાં આવતાં ભવોના ભવો લાગે છે. અહીં આપણે આજના પાપીને કે દુષ્ટને સુખી અને સમૃદ્ધ જોઈએ કે પુણ્ય પ્રવૃત્તિ કરતા ધર્મી માણસને દુઃખમાં સબડતો જોઈએ તો વિમાસણમાં પડવું નહિ. કારણ કે તે સમયે એ આગળના કોઈ ભવનું કર્મ ભોગવતો હોય છે. લોકો કર્મના ઉદયની ગતિ-વિધિથી પૂરા જાણકાર
કર્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org