________________
આગળ ઉપર આપણે જોઈ ગયા કે જીવ, રાગ અને વૈષને લીધે કર્મનું ઉપાર્જન કરે છે. આ મૂળ વાત છે. પણ તેની સાથે બીજી પણ કેટલીક મહત્ત્વની આનુષંગિક બાબતો રહેલી છે. કષાય અર્થાત્ રાગ-દ્વેષ કર્મબંધનું મૂળ કારણ છે પણ તેની સાથે રહેલાં મિથ્યાત્વ, અવિરતિ અને યોગ તેનાં સહાયક કારણો છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિ તે યોગ કહેવાય છે. કષાય એ જીવનો પરિણામ છે – ભાવ છે પણ યોગ વિના જીવ વાતાવરણમાંથી પરંમાણુઓ ગ્રહણ ન કરી શકે. એટલે જેનો અલ્પ યોગ તે અલ્પ પ્રમાણમાં પરમાણુઓ ગ્રહણ કરે અને પરિણામે તે ઓછાં કર્મ બાંધે. વિરતિ એટલે સંયમ. જે જીવ અવિરતિમાં હોય તેના ભાવોનો વિસ્તાર ઘણો મોટો હોય. વળી તેના યોગ પણ વ્યાપક હોય તેથી તે થોકે થોક કર્મ બાંધે. મિથ્યાત્વ એટલે સારા-નરસાના વિવેકનો અભાવ. જેનામાં આ વિવિક નથી તેનાં તો બધાં દ્વાર કર્મને આવવા માટે ખુલ્લાં જ છે. જીવને જ્યારે સંવરમાં આવવું હોય ત્યારે તે યોગને અલ્પ કરે છે. સંયમમાં આવી જાય છે અને આ બધું મિથ્યાત્વના ખસ્યા વિના જીવ કરવા માટે તત્પર જ થતો નથી. આ થઈ સંવરની વાત.
અહીં સુધી આવી પહોંચ્યા છીએ તો બીજી બે વાત પણ કરી લઈએ. કર્મ બે પ્રકારનાં ગણાય છે. જે કર્મની અસરથી જીવને સુખદ સંવેદન રહે તે પુણ્યકર્મ. જે કર્મના પ્રભાવથી જીવને દુઃખ લાગે તે પાપકર્મ જીવ ઋજુ હૃદયનો હોય, પરોપકારી હોય, ધર્મપ્રિય હોય, પરમાર્થી હોય તો તે પુણ્યકર્મનો વધારે બંધ કરે. જો જીવ સ્વાર્થી હોય, કપટી હોય, ક્રૂર હોય, હિંસા ૭૮
- જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org