________________
બતાવીને જીવ ઉપરથી ખસી જાય છે. આમ એક વિષચક્ર ઊભું થયેલું છે. કર્મના આ ચક્રવ્યુહમાંથી બહાર નીકળવાનું જીવ માટે અતિ-અતિ મુશ્કેલ છે પણ તે અશક્ય નથી. જો જીવે કર્મની ચુંગાલમાંથી છૂટી જવું હોય તો તેણે નવાં નવાં કર્મો ન બાંધવાં જોઈએ અથવા તો અલ્પ પ્રમાણમાં બાંધવા જોઈએ અને પોતાની પાસે અનર્ગળ કર્મનો જે સ્ટોક છે તેને
ખાલી કરતાં રહેવું જોઈએ. આ છે કર્મના સંવર અને કર્મની - નિર્જરાની વાત. આટલામાં તો ઘણું બધું આવી ગયું.
આપણે નવાં આવતાં કર્મને રોકવા હોય તો કર્મ કેવી રીતે બંધાય છે તે વાત સમજવી પડશે. જીવ પોતાના રાગદ્વેષને કારણે વાતાવરણમાંથી એવા પરમાણુઓ સતત ગ્રહણ કરતો રહે છે જે જીવ સાથે ઓતપ્રોત થઈને કર્મ બની જાય છે. કર્મમાં રૂપાંતર થયેલા પરમાણુઓમાં અનર્ગળ શક્તિ હોય છે. આમ જીવ કર્મની નાગચૂડમાં ફસાયેલો જ રહે છે. જીવ
જ્યારે કર્મ બાંધે છે ત્યારે જ તે કર્મ ક્યારે ઉદયમાં આવશે (સ્થિતિબંધ), કેટલા પ્રમાણમાં જીવે કર્મજન્ય પરમાણુઓ ગ્રહણ કર્યા છે (પ્રદેશબંધ), તેનો કેવા પ્રકારનો પ્રભાવ રહેશે (પ્રકૃતિબંધ), કેટલા વેગથી-ફોર્સથી કર્મ ઉદયમાં આવશે (રસબંધ) વગેરે નક્કી થઈ જાય છે. કર્મનું વિભાગીકરણ સ્વયં થઈ જાય છે. તેની નોંધ રાખવા કે ફાળવણી કરવા કોઈ ચિત્રગુપ્તની જરૂર નથી રહેતી. આપણે ત્યાં કર્મ એ કોઈ સંસ્કાર નથી. કર્મ એ પદાર્થ છે – પુદ્ગલ છે. કોઈએ પણ કર્મને આપણી રીતે પુદ્ગલ ગપ્યું નથી અને આ જ તો જૈન ધર્મની વિશિષ્ટ દેન છે.
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org