SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસાર જૈન ધર્મની આખી ગૂંથણી કર્મને લક્ષમાં રાખીને થયેલી છે. કર્મ એટલે સંસાર અને કર્મવિહીન અવસ્થા તે મોક્ષ, આ જૈન ધર્મની પાયાની વાત છે. જીવે જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો કર્મરહિત થવું પડે. જો કર્મરહિત થવું હોય તો કર્મ, જીવને કેમ લાગે, ક્યારે લાગે, કેવી રીતે તે તેનો પ્રભાવ બતાવે, કેવી રીતે તેનાથી મુક્ત થઈ શકાય – તે બધી વાતો સમજવી પડે. કર્મ એક વિજ્ઞાન છે અને એક સંપૂર્ણ વિષય છે. તેથી મેં તેને સમજાવવા ‘કર્મવાદનાં રહસ્યો’ નામનું પુસ્તક લખ્યું છે. જૈન તત્ત્વવિષયક આ પુસ્તકમાં કર્મવાદને ન સમાવું તો આ પુસ્તક અપૂર્ણ ગણાય તેથી તેની કેટલીક મહત્ત્વની બાબતોને જ અહીં લીધી છે. - ર જોકે અત્યારે આપણા હાથમાં જે પુસ્તક છે તેનાં અન્ય પ્રકરણો અને ખાસ કરીને આધારશિલા અને ‘આત્માથી પરમાત્મા'માં કર્મ વિશે ઘણી ચર્ચા કરેલી છે. આ બંનેની ચર્ચામાં ‘કર્મ’ જ કેન્દ્રસ્થાને રહેલું છે. તો પણ વાચકની સુગમતા ખાતર અહીં હું કર્મસાર આપું છું. સંસારમાં જીવ અને કર્મ એકમેક થઈને રહેલાં છે. જીવ દુઃખી છે, પરાધીન છે કારણ કે તેને કર્મનો સંગ છે. જો તે કોઈ રીતે કર્મથી અળગો થઈ જાય તો તેનો મોક્ષ થઈ જાય. પણ સદંતર કર્મવિહીન થવાનું જીવ માટે મુશ્કેલ બની જાય છે. કારણ કે જીવ પળેપળ નવાં નવાં કર્મોનું ઉપાર્જન કરે છે. બીજી બાજુ કેટલાંય કર્મો ઉદયમાં આવી તેનો પ્રભાવ કર્મસાર Jain Education International For Private & Personal Use Only ૭૫ www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy