________________
જીવ ક્યારેય પ્રમાદ કરતો નથી કે બેધ્યાન રહેતો નથી. આમ અહિંસામાં ઊતરવા માટે જાગરૂકતા અનિવાર્ય બની રહે છે.
હવે બાકી રહી અન્યની ઉપસ્થિતિની વાત. સંસાર તો અન્ય જીવોથી ખીચોખીચ ભરેલો છે. અન્યની ઉપસ્થિતિ ન હોય તેવું તો બને જ નહિ. તો પછી સાધવાનું શું? સાધવાનો છે સમભાવ. જીવ માત્ર મારા જેવો જ જીવ છે અને તેને મારી જેમ સુખ-દુઃખનું સંવેદન થાય છે. અન્ય જીવનું સંવેદન પણ પોતાનું સંવેદન બની જાય તે સમભાવ. આવો સમભાવ જે જીવમાં જાગ્યો હોય તેને હિંસાથી બચવા કોઈ પ્રયાસ ન કરવો પડે. વિના આયાસે સ્વભાવથી જ તેને અહિંસાની ઉપલબ્ધિ થઈ હોય. સર્વ જીવો પ્રત્યે સમભાવ તે આત્માની બહુ ઊંચી અવસ્થા છે. આત્માની લગભગ પૂર્ણ શુદ્ધિ થઈ હોય તેના જ દિલમાં આવો સમભાવ હોય. જેટલી શુદ્ધિ વધારે તેટલો સમભાવ વધારે. આત્માની શુદ્ધિ એટલે કષાયોનાં વાદળોનું વિસર્જન, વિજાતીય દ્રવ્યકર્મથી મુક્તિ. સમભાવ તે સ્વભાવમાં જવા માટેનું છેલ્લું દ્વાર છે. મંજિલ જેમ જેમ નજીક આવતી જાય તેમ તેમ જીવ સમભાવમાં આવવા લાગે.
આમ અહિંસા આત્માની ભાવદશા છે કે જે આત્માના સ્વભાવની ઘણી નજીક છે. ત્યાં આત્માની શુદ્ધિ ઘણી થઈ ગઈ હોય છે તેથી કર્મ પણ આછાંપાતળાં થઈ ગયાં હોય છે. - અહીં આપણે જે ચર્ચા કરી છે તે અહિંસાની ભાવદશાને લક્ષમાં રાખીને સવિશેષ કરી છે તેથી કોઈ રખે અહિંસાની સ્થૂળ વાતોનું કે જયણાનું અલ્પ મૂલ્ય આંકે ! સાધનત્રયી
93
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org