________________
થાય છે. અહંકારનો વિસ્તાર જેટલો વધારે તેટલી હિંસાની સંભાવના વધારે. મમકારનો રણકાર જેટલો વધારે તેટલો જીવ હિંસામાં વધારે ઊતરવાનો. કષાય માત્ર આત્માના વિભાવો છે. કષાય એટલે રાગ-દ્વેષ અને તેના આવિર્ભાવ સમા ક્રોધ, માન, માયા, લોભ અને તેને સહાય કરનારા નવ નોકષાયો. કષાયો પાતળા પડ્યા વિના જીવ અહિંસાની અવસ્થા પ્રાપ્ત કરી શકતો નથી. આમ અહિંસામાં કષાયોનું ઉન્મેલન - ઉખેડી નાખવાની વાત આવીને ઊભી જ રહે છે. અહિંસા આત્માની અણમોલ ઉપલબ્ધિ છે અને જેણે તે પ્રાપ્ત કરવી હોય તેણે કષાયો છોડવા પડે અને તો જ હિંસાની જડ હચમચે કે ઊખડે.
અહિંસામાં બીજી વાત આવે છે મૂછની. જીવ પ્રમાદને વશ થઈને અજાણતાં હિંસામાં ઊતરી બેસે છે. તેનાથી બચવા માટે જીવે જાગરૂકતા સાધવી પડે. ઊંઘમાં કરેલો ગુનો પણ ગુનો તો કહેવાય જ અને રાજ્ય તે માટે દંડે. તેવી રીતે કર્મસત્તા, મૂચ્છમાં થયેલ હિંસાને પણ માફ કરતી નથી. હા, કદાચ તેનો દંડ ઓછો હોય. આત્માની જાગરૂકતા એટલે વિવેકનું અખંડ જાગરણ. આ તો ચોવીસેય કલાકની ડ્યૂટી થઈ ગઈ. ભગવાન મહાવીર ઊંઘમાંય પડખું બદલતા નહિ કારણ કે અજાણતાં ક્યાંક કોઈ જીવ કચડાઈ મરે. દેશનામાં ભગવાન ગણધર ગૌતમ સ્વામીને વારંવાર કહે છે કે “સમય ગોયું મા પમાયએ” – તે મૂર્છાથી-મોહથી સાવધ રહેવાના સંદર્ભમાં છે. હે ગૌતમ ! તું ક્ષણનોય પ્રમાદ ન કરીશ તેનો ગૂઢાર્થ એ છે કે એક પણ એવી ક્ષણ ન હોય કે જ્યાં તું સાવધ ન હોય કે જાગરૂક ન હોય. આત્મા પ્રતિ જાગ્રત થઈ ગયેલો
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org