________________
મૂછ છે. જેમ મૂછમાં-નશામાં જીવને પોતે શું કરે છે તેનું ભાન નથી હોતું તેમ મૂર્છાને કારણે એટલે કે પ્રમાદને કારણે જીવ, વિના પ્રયોજન ભાન વગર હિંસા કરતો જ રહે છે. પ્રમાદ એ પ્રગાઢ મૂછની જ સ્થિતિ છે. તદુપરાંત હિંસા માટે અન્ય જીવની ઉપસ્થિતિ પણ જરૂરી બની રહે છે. આ ત્રણેય પૂર્વશરતો – કષાય, મૂછ અને અન્યની ઉપસ્થિતિ - પૂર્ણ થાય નહિ તો હિંસા ન થઈ શકે.
કોઈ પણ જીવને મારવાની બુદ્ધિથી ન મારવો તે વાત સાચી, પણ અહિંસાની આ વાત ઘણી સ્થળ છે. અહિંસાની અવસ્થામાં બીજી ઘણી સૂક્ષ્મ વાતો રહેલી છે. મન, વચન, અને કાયાના યોગ વિના જીવ હિંસામાં ઊતરી શકતો નથી. કાયદો તો હિંસા કૃત્ય બને ત્યારે જ અપરાધ ગણે જ્યારે જૈન શાસનમાં તો મારવાનો ભાવ થતાં જ કર્મના કૉપ્યુટરમાં અપરાધ નોંધાઈ જાય. કોઈને પણ આપણાં વાણી-વર્તનથી દુઃખ થાય તો પણ સૂક્ષ્મ રીતે હિંસા થઈ જ ગણાય. પણ જીવની અહિંસાની અવસ્થામાં તો તેનાથીય સૂક્ષ્મ વાતો રહેલી છે. આપણું વ્યક્તિત્વ પણ કોઈને બાધક નીવડે કે દુઃખનું કારણ બની રહે તો તેમાંય ભાવહિંસા તો ખરી જ. આક્રમક વ્યક્તિત્વ તે પણ હિંસા છે ત્યાં સુધી બહુ ઓછા લોકોએ વિચાર કરેલો છે. અહિંસા તે આત્માની બહુ ઉચ્ચતમ અવસ્થા છે, જે આત્માના સ્વભાવની ઘણી નજીક છે. આવી અહિંસામાં પહોંચવા માટે આપણે શેનાથી બચવાનું છે, કેવી રીતે બચવાનું છે તે સમજી લેવું જરૂરી છે.
કષાયજનિત હિંસા મુખ્યત્વે રાગ-દ્વેષની પ્રગટતાને કારણે સાધનત્રયી
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org