________________
ન લાગે તે સંયમમાં ક્યાંક પાયાની ક્ષતિ રહી ગઈ છે તેમ માની લેવું પડે. સંયમમાં બહાર વહેતી, વિભાવો પાછળ વેડફાતી જીવનઊર્જા અંદર તરફ વળી નિત નવા આવિર્ભાવો કરતી રહે. આવો સંયમ જ્યાં ઘટિત થતો હોય છે ત્યાં જીવનની સુગંધ ફેલાતી હોય છે. પ્રસન્નતા ઊભરાતી હોય છે. સંયમ, જીવને પોતાના ગહનતમ સ્વભાવની નજીક લાવવા માટેની પ્રબળતમ સાધના છે માટે તો સંયમને ધર્મનો પ્રાણ કહ્યો છે. અહિંસા :
આત્માના સ્વભાવપ્રાપ્તિના માર્ગમાં અહિંસા એ ખૂબ આગળની અવસ્થા છે. ‘અહિંસા' શબ્દ આમ તો નિષેધાત્મક છે. સર્વોચ્ચ તથ્યને ઓળખાવવા માટે ‘નકાર' જેટલું બળ ‘હકાર’માં કદાચ નહિ હોય. વેદાંતે પણ બ્રહ્મને ઓળખાવવા ‘નેતિ-નૈતિ’ એવો જ પ્રયોગ કર્યો છે ને ! ગમે તેમ હોય, પણ અહિંસામાં ઊતરવા માટે આત્માની આ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે આપણે પ્રથમ તો હિંસાને સમજવી પડશે.
હિંસા ઘટિત થવા માટે ત્રણ પૂર્વશરતોનું પાલન જરૂરી બની જાય છે. હિંસા જાણતાં પણ થાય છે અને અજાણતાંય થાય છે. જાણતાં હિંસા કરવા માટે કષાય એટલે કે રાગદ્વેષ આવશ્યક છે. કષાય વિના મનુષ્ય મારવાના ભાવથી હિંસામાં ઊતરી ન શકે. પશુ-પક્ષીઓ સંજ્ઞાથી એટલે કે ઇન્સ્ટ્રિક્ટથી હિંસા આચરે છે. સંજ્ઞા એ સઘન થયેલો કષાયનો જ ભાવ છે. પણ ત્યાં જીવની મૂર્છા ગાઢ હોય છે. કષાય વિના અને સંજ્ઞા વિના પણ જીવ હિંસામાં ઊતરે છે. તેનું કારણ પણ
જૈન ધર્મનું હાર્દ
૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org