SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સંબંધો ખપ પૂરતા જ રહે, બાકી તે આત્માના ગુણોથી જ પ્રસન્ન રહેતો હોય. સંયમી વ્યક્તિના જીવનમાંથી મોટે ભાગે ઘટનાઓ વિદાય થઈ જાય, સંબંધો વિરમી જાય કારણ કે તેણે બહાર વહી જવાની પ્રકૃતિવાળા વિભાવોને-કષાયોને રોકી લીધા હોય છે. તપ કર્મની નિર્જરા છે તો સંયમ એ કર્મનો સંવર છે. . કર્મ માત્ર વિજાતીયં દ્રવ્ય છે. વિજાતીય દ્રવ્યનો સંપર્ક જેટલો : ઓછો થાય તેટલો સંયમ વધારે સચવાય. તપથી ઉત્પન્ન થયેલી પ્રાણશક્તિને બહાર વહી જતાં રોકી લેનાર સંયમ છે. સંયમ ઊર્જાને આત્મા તરફ વાળે છે, સ્વભાવ તરફ લઈ જાય છે. સંયમ (આત્માની) અંદરની સમૃદ્ધિને બહાર નથી જવા દેતો તો બીજી બાજુ બહારના કચરાને (કર્મને) ઝાઝો અંદર આવવા દેતો નથી. સંયમ એક રીતે તપ અને અહિંસાની વચ્ચેનો પડાવ છે. સંયમમાં સંતુલન છે, વિશ્રામ છે, સ્વસ્થતા છે. સ્વભાવમાં જવાની આગળની યાત્રા માનોને કે લગભગ અહીંથી શરૂ થાય છે. જે સંયમ વિધાયક ભૂમિ ઉપર પાંગર્યો હશે તેને જ ફળ બેસશે. નિષેધની ભોંય ઉપર ઊભેલો સંયમ ઝાઝું નહિ જીવે અને ટકી જશે તો પણ ખાસ કંઈ સિદ્ધ નહિ કરે. સંયમમાં નિયંત્રણ ઉપરથી લાદવાં ન પડે પણ તે તો અંદરથી જ ફલિત થઈ જાય. સંયમ એ જીવનનું સંકોચન નથી પણ આત્માના ગુણોનો ફેલાવ છે તેથી તે પ્રસન્ન હોય. આવો સંયમ મહેંકતો રહે. તેની તો ચારેય બાજુ સુવાસ ફેલાય. જે સંયમમાં પ્રસન્નતા સાધનત્રયી ૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy