________________
સેવન કરતો જીવ છેવટે ધર્મમાં – સ્વભાવમાં આવીને ઊભો રહેવાનો. તપ :
તપ ધર્મનો દેહ છે કારણ કે તે બહારથી દેખાય છે. જીવ એક કે બીજી રીતે તપથી ધર્મમાં ઊતરવાની શરૂઆત કરે છે. તપ ઉપર જૈન ધર્મ ગહન ચિંતન કર્યું છે. તેમાં છ તપને – અણશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને પ્રતિસલીનતાને – બાહ્ય તપ કહ્યાં છે. બાહ્ય તપથી તપની શરૂઆત થાય પણ જ્યારે બહાર ન રહેતાં અંદર ઊતરવા માંડે ત્યારે તે અત્યંતર બની જાય. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ અત્યંતર તપ છે. બાહ્ય તપ તો અત્યંતર તપની પૂર્વતૈયારી રૂપે હોય છે.
વાસ્તવિકતામાં તપ જીવની શક્તિને–ઊર્જાને જગાવે છે. આપણી અંદર ઊર્જા છે પણ તે સુષુપ્ત છે – બુઝાયેલી છે. તપ તેને સંકોરીને તેજ કરે છે. તપ અંતરની જ્યોતને પ્રજ્વલિત કરે છે અને તેના તાપમાં જીવાત્મા ભવોભવનાં કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. કર્મનો નાશ થયા વિના જીવ સ્વભાવમાં ન આવી શકે. તપ એ શક્તિ છે – ઊર્જા છે. તપથી ઉત્પન્ન થયેલી શક્તિને જે સાચવી જાણે અને તેને યોગ્ય દિશામાં વાળી શકે તે જ તપનો ખરો લાભ મેળવી શકે. તપ તો એક પ્રકારનો યજ્ઞ છે.
તપમાં ભૌતિક શરીરને સંતાપવાની કે શોષવાની વાત નથી પણ ઊર્જશરીરને (તેજસ દેહને) સમૃદ્ધ કરવાની વાત છે. તપથી આવિષ્કાર પામેલી ઊર્જાને અંતર્મુખ કરી તેને (આત્માનો) સ્વભાવસિદ્ધ કરવા માટે નવાં કેન્દ્રો ઉપર લઈ
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org