SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જવાની હોય છે જેથી આત્મા વિભાવમાંથી સ્વભાવમાં આવવા માંડે. તપનો મૂળ ભાવ છે કે હું શરીર નથી; હું સર્વશક્તિશાળી આત્મા છું. વિભાવ એટલે શરીર સાથે તાદાભ્ય. તપનું સૂત્ર છે કે શરીર સાથેનું તાદાભ્ય તોડી આત્મા સાથે તાદાભ્ય સાધો. તપ, પોતાને પોતાનામાં લઈ જવા માટેનું અમૃત દ્વાર છે. જો સમજીને ભાવપૂર્વક તપ થાય તો તે સીડી બનીને સાધકને ઉપર લઈ જાય. જો તપ કેવળ દ્રવ્યતા જ બની રહે એટલે કે બહાર જ રહી જાય તો તે કેવળ કષ્ટ બનીને થોડાક પુણ્યનું ઉપાર્જન કરી આપે. અને જે તે વિકૃત થઈ જાય તો તે જીવને નીચે પાડનારું પણ નીવડે. તપ એ સીડી છે જે ઉપર લઈ જાય છે. પણ જે સીડી, ઉપર જવા માટે કામ આવે તેનો ઉપયોગ નીચે ઊતરવા પણ થઈ શકે છે. આપણે કેવો ઉપયોગ કરીશું તેનો આધાર આપણા ભાવમાનસ ઉપર રહે છે. તપ યોગ્ય રીતે, ભાવ સહિત થયું હોય તો તે આત્મા અને શરીર જુદાં છે એવા ભેદજ્ઞાનનું કારણ પણ બની રહે. જે તપથી ઊર્જાનો આવિષ્કાર ન થાય, ઉત્પન્ન થયેલી ઊર્જા સ્વભાવ તરફ ન જતાં - સન્માર્ગે ન વળતાં વિભાવો તરફ વહી જોય તો તે તપ નિષ્ફળ ગયું તેમજ સમજવું. તપ દુઃખવાદી દૃષ્ટિની નીપજ નથી પણ જો તેને યોગ્ય રીતે પકડતાં ન આવડે તો દુઃખ પકડાઈ જાય અને ઉત્પન્ન થયેલી જીવનશક્તિ વેડફાઈ જાય. તપ શરીર સાથેનો સંઘર્ષ નથી. તપમાં શરીરની પાર પહોંચી જવાની વાત છે એટલે કે સ્વભાવ તરફ વળવાની વાત છે. સાધનત્રયી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy