________________
સાધનત્રયી
ધર્મ શું છે ? કોને ધર્મ કહેવાય ? - એ વાત ઉપર આપણે વિચાર કર્યો પણ જીવાત્મા પોતાના સ્વભાવમાં આવે કેવી રીતે તે વિશે જે કંઈ દર્શાવવામાં આવ્યું છે તેને પણ ઉપચારથી ધર્મ કહેવામા આવે છે. આપણી બધી ધર્મક્રિયાઓ અને ધર્મઅનુષ્ઠાનો મૂળ તો આત્માના ધર્મમાં ઊતરવા માટેનાં છે. જો આપણે સાધ્ય વિશે એટલે કે ધર્મની મૂળ વાત વિશે સ્પષ્ટ થઈ ગયા હોઈએ તો આપણી બધી ધર્મક્રિયાઓ, અમૃતક્રિયાઓ બની જાય. પણ દુર્ભાગ્યની વાત એ છે કે ધ્યેય તરફ દૃષ્ટિ પણ નાખ્યા વિના આપણે ધર્મક્રિયાઓમાં દોડ્યા જ કરીએ છીએ તેથી આપણને બહુ થોડાની પ્રાપ્તિ થાય છે એટલે કે કેવળ શુભની પ્રાપ્તિ થાય છે. જો સમજણ સાથે આ બધી ક્રિયાઓ થાય તો તે શુદ્ધના ઘરની બની જાય અને તેની તાકાત તો ક્યાંય વધી જાય.
.
.
જૈન ધર્મે અહિંસાને ધર્મનો આત્મા ગણ્યો છે. સંયમ જૈન ધર્મનો પ્રાણ છે અને તપ ધર્મનો દેહ છે. આ ત્રણ બાબતો વિશે વિચારણા કરતાં આપણે સ્વભાવધર્મ સુધી પહોંચી જઈશું.
અહિંસા, સંયમ અને તપમાં જૈન ધર્મ સમાઈ જાય છે. બાકી તેનો વિસ્તાર તો ઘણો મોટો છે. તેની વિગતોમાં ન જતાં, તેના પાયામાં રહેલી કેટલીક બાબતો ઉ૫૨ સૂક્ષ્મ વિચાર કરીશું. અહિંસા, સંયમ અને તપ એ ત્રણેય જીવને પોતાના સ્વભાવમાં લઈ જવા માટેનાં અમોઘ સાધનો છે. આ ત્રણેયનું
સાધનત્રયી
જૈ.હા.-૫
Jain Education International
For Private & Personal Use Only
૬૫
www.jainelibrary.org