________________
જડે. અન્યનું આલંબન એટલે પરાધીનતા. અન્ય ક્યારેય આપણું ન બને. તે અન્ય જ રહેવાનું. વળી અન્ય વ્યક્તિ પોતાનું ‘સુખ બીજા કોઈ અન્ય'માં શોધતું પણ હોય તેથી આ અન્યનો સંસાર સરકતો જ રહેવાનો. આપણે અન્યના સંબંધો એટલે કે બહારના સંબંધોમાં સુખ માન્યું છે. માટે આપણને અંતે દુઃખ જ મળ્યું છે. અન્ય સંબંધ હોય કે વસ્તુ હોય પણ તેનાથી જે સુખ મળે તે ક્યારેક કાયમનું ન હોય.
તત્ત્વના ગૂઢાર્થમાં તો શરીર પણ આત્મા માટે ‘અન્ય’ છે. તેથી તો શરીર આપણને આટઆટલું રંજાડે છે અને રખડાવે છે. અન્યમાં સુખની કલ્પના તે જ ભ્રાન્તિ છે અને તે જ્યારે તૂટે છે. ત્યારે દુ:ખના દરિયા ઊમટી પડે છે. આત્માથી અન્ય તે બધું વ્યર્થ છે આપણને ક્યાંય કોઈ સંબંધ કે વસ્તુ વ્યર્થ લાગે કે વ્યર્થ સાબિત થાય એટલે આપણે તે બદલવાનો વિચાર કરીએ છીએ. પણ એ નથી સમજતા કે અન્ય માત્ર છેવટે વ્યર્થ જ નીવડવાનું. અન્યની પોકળતા સમજી લઈને આપણે ‘સ્વ’માં આવી જઈએ તો સુખનાં મંડાણ થઈ જાય. તેથી તો કહે છે કે જીવ સામાયિકમાં અનંતની સમૃદ્ધિની ઝાંખી કરી લે છે, અને તે દેવોના સુખનેય આંબી જાય છે. આ છે જૈન ધર્મ'ના ધર્મની વાત. આ વાત સમજ્યા વિના ધર્મ સાથે અનુસંધાન કેવી રીતે કરાય ? સાચી વાત ન સમજવાને કા૨ણે લોકો ચાલે છે ઘણું પણ પહોંચે છે ઓછું. દોડે છે તો સૌ પણ મંજિલ તો કોકને જ મળે છે.
ભગવાન મહાવીરના શાસનમાં વત્યુ સહાવો ધમ્મો' એટલે કે વસ્તુનો સ્વભાવ તે જ ધર્મ એમ કહેવાયું છે. જીવાત્મા પોતાના ગહનતમ સ્વભાવમાં આવી જાય એટલે ધર્મમાં આવી ગયો ગણાય.
૪
Jain Education International
For Private & Personal Use Only
જૈન ધર્મનું હાર્દ
www.jainelibrary.org