________________
તે જ તેના દુઃખનું કારણ છે, બધા ક્લેશનું કારણ છે. ધર્મમાં જે આપણું પોતાનું છે તેને જ આપણે પામવાનું છે. સ્વયંને છોડીને અન્યને મેળવવાના બધા પ્રયાસો નિષ્ફળ જવાના. ભલેને જીવ ગમે તેટલો દોડે પણ તે ક્યાંય નહિ પહોંચવાનો. જૈન ધર્મે તેથી ક્યારેય આગળ દોડવાની વાત કરી નથી. પણ પોતાનામાં પાછા ફરવાની વાત કરી છે. તેથી તો જૈન ધર્મમાં પ્રતિક્રમણ છે. અન્ય કોઈ ધર્મમાં આવી સૂક્ષ્મ અને સચોટ ક્રિયા દેખાતી નથી. સામાયિક તે પણ સ્વભાવમાં સ્થિતિ કરવાની વાત છે. અન્ય ધર્મોમાં ધ્યાન અને ધારણા છે જ્યારે જૈન ધર્મમાં સામાયિક છે. જેને ધ્યાનની પણ ઉપર મૂકી શકાય. ધ્યાનમાં મુખ્યત્વે આલંબન હોય અને જ્યાં આલંબન ત્યાં ‘અન્ય’ની (પોતાના સિવાયની) વાત આવી જ ગઈ. સામાયિકમાં અન્યની વાત નથી પણ આત્મામાં સ્થિત થવાની વાત છે. તેથી તો મનીષીઓ જૈન ધર્મને સામાયિક ધર્મ તરીકે ઓળખે છે. આટલામાં તો ઘણું બધું આવી ગયું.
સામાયિક તે જ ધર્મ એ વાત બહુ ઓછા સ્પષ્ટ રીતે સમજે છે. વાસ્તવિકતામાં સામાયિક કરવાનું ન હોય પણ સામાયિકમાં રહેવાનું હોય. જૈન ધર્મે આત્મા માટે ‘સમય’ શબ્દ પ્રયોજ્યો છે જે સકારણ છે. સામાયિકનો અર્થ છે કે સમયમાં રહો – આત્મામાં રહો અર્થાત્ સ્વભાવમાં આવી જાવ.
આપણે મૂળથી જ ખોટો માર્ગ પકડ્યો છે. તેથી આપણને ક્યારેય સુખ-શાન્તિ મળતાં નથી. આપણને પતિ-પત્નીમાં સુખ લાગે છે, પુત્ર-પરિવારમાં સુખ દેખાય છે. ગાડી-વાડીમાં, પદકીર્તિમાં ઇત્યાદિમાં આપણે સુખ શોધીએ છીએ. આ બધા વિભાવો છે. વિભાવોમાં હંમેશાં અન્યની ઉપસ્થિતિની આવશ્યકતા રહે છે. તેથી અન્યના આલંબન વિના આપણને સુખ નહિ વત્યુ સહાવો ધમ્મો
Jain Education International
For Private & Personal Use Only
૬૩
www.jainelibrary.org