________________
જ્યારે જૈન ધર્મમાં અયોગની - કર્મથી છૂટવાની વાત છે જેનાથી પરમાત્મદશાનો આવિર્ભાવ થાય છે. જૈન ધર્મના મતે જીવાત્માની બહાર ક્યાંય ધર્મ નથી કે જે તેણે પ્રાપ્ત કરવાનો છે. જીવે જે કંઈ કરવાનું છે તે પોતાના સ્વભાવમાં આવી જવા માટે કરવાનું છે. જીવ વિભાવોથી ઢંકાયેલો છે. તે વિભાવો ખંખેરી નાખવા તે ધર્મ. જૈન ધર્મમાં ઊઘડવાની વાત છે.
સૂર્યને ક્યાંય બહારથી પ્રકાશ કે ઉષ્મા મેળવવાની નથી. સૂર્ય વાદળોથી ઢંકાયેલો હોય તો પ્રકાશ અવરુદ્ધ થઈ જાયરોકાઈ જાય, તેમ જીવાત્મા કર્મથી ઢંકાયેલો છે તેથી તેનો મૂળ સ્વભાવ દેખાતો નથી. જીવ, કર્મના ભારથી કચડાયેલો છે, કર્મનાં વાદળોથી આવૃત્ત છે, તેથી તે વિભાવોને વશ થઈને વર્તે છે. જૈન ધર્મમાં મૂળ વાત છે કર્મના ભારથી મુક્ત થઈ જવાની, કર્મ જેવા વિજાતીય દ્રવ્યનાં વાદળાંઓને વિખેરી નાખવાની. આટલું કાર્ય થતાં જીવાત્મા સ્વયં પરમાત્મા બની જાય છે. એટલે કે પરમાત્મભાવમાં અવસ્થિત થઈ જાય છે. જીવાત્મા કર્મના મળને કાઢી નાખી, વિશુદ્ધ થઈ જાય એટલે તેને પોતાના ધર્મની ઉપલબ્ધિ થઈ જાય છે.
જગતના લગભગ બધા ધર્મો ૫૨માત્માને સૃષ્ટિમાં પ્રથમ ગણે છે (કારણ કે તેને સૃષ્ટિનો સર્જક માન્યો છે.) અને ત્યાર પછી સૃષ્ટિ અને સકળ સંસાર. જૈન મત પ્રમાણે પરમાત્મા કારણ નથી પણ પરિણામ છે. તે જીવની વિકાસયાત્રાનું અંતિમ ચરણ છે. ભગવાન એટલે ભગવા અને ભગવતા એટલે ચેતનાનો પૂર્ણ વિકાસ. જીવ કનિષ્ઠમાં રાચે છે કારણ કે તે વિજાતીય દ્રવ્યો (કર્મ) અર્થાત્ પારકા સાથે જોડાયેલો છે અને
જૈન ધર્મનું હાર્દ
દુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org