________________
| વન્યુ સહાવો ધમો |
આપણે જૈન ધર્મની પાયાની વાતો ઉપર વિચાર કરીએ છીએ ત્યારે જૈન ધર્મ, ધર્મ કોને કહે છે તે વાત તો કરવી જ રહી. તે સમજ્યા વિના જૈન ધર્મનાં વિધિ-વિધાનો પણ યથાર્થ રીતે નહિ સમજાય. ઘણાને લાગે કે “ધર્મ એટલે ધર્મ. એમાં તો વળી શું સમજવાનું હોય ? ના, અહીં પણ આપણે અન્ય સૌ કરતાં જુદા પડી જઈએ છીએ. જગતના બધા ધર્મો રિલીજીયન' શબ્દ ધર્મ માટે વાપરે છે. આ અંગ્રેજી શબ્દ રિલીજીયન મૂળ Relegayer શબ્દ ઉપરથી આવ્યો છે, જેને જોડવા સાથે સંબંધ છે. કોની સાથે જોડાવાનું ? તો કહે ઈશ્વર સાથે. બસ, અહીં જ તો મૂળભૂત તફાવત છે. જૈન ધર્મે કોઈની સાથે જોડાવાની વાત નથી કરી કારણ કે તેણે કોઈ વ્યક્તિવિશેષ પરમાત્માની ધારણાનો સ્વીકાર કર્યો નથી કે જેની સાથે જોડાવાથી જીવન સાર્થક થઈ જાય કે કૃતકૃત્ય બની રહે.
જૈન ધર્મ “ધર્મ' શબ્દ વસ્તુના સ્વભાવ માટે વાપરે છે. પાણી શીતળ છે, અગ્નિ ગરમ છે - તે તેના સ્વભાવને કારણે છે. તેમ જીવનો સ્વભાવ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત આનંદ છે. આ સ્વભાવથી જે વિપરીત ભાવો જીવાત્મામાં છે તે બધા વિભાવો છે. જીવનમાં જે કંઈ કરવાનું છે તે આ વિભાવોને ખંખેરી નાખી પોતાના મૂળ સ્વભાવમાં આવી જવા માટે. આમ જૈન ધર્મ કોઈની સાથે જોડવાની વાત નથી કરતો પણ વિભાવોથી તૂટવાની વાત કરે છે. અન્ય બધા ધર્મોમાં યોગની વાત છે એટલે કે પરમાત્મા સાથે જોડાવાની. વન્યુ સહાવો ધો
૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org